SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨માત્મા] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જિન આદેશઃ [પ્રવચન નં. ૬] એક જ મોક્ષમાર્ગ : ૫૨માત્મદર્શન [ શ્રી યોગસા૨ ઉ૫૨ ૫૨મ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૨-૬-૬૬ ] આ યોગીન્દુદેવકૃત યોગસાર છે. યોગસારનો ખરો અર્થ તો એ છે કે યોગ એટલે આત્મસ્વભાવનો વેપા૨ ને તેનો સાર; યોગ એટલે જોડાવું-ચૈતન્ય પૂરણ દ્રવ્યસ્વભાવ સાથે જોડાણ કરવું, તેમાં એકાગ્રતા કરવી ને તેનો સાર એટલે કે ૫૨માર્થ મોક્ષમાર્ગ; તેની વ્યાખ્યા અહીં કરી છે. તેમાં આ ૧૬મી ગાથામાં તો બહુ ઊંચી વાત કરી છે. अप्पा- दंसणु एक्कु परु अण्णु ण किं पि वियाणि । मोक्खह कारण जोइया णिच्छंइं एहउ जाणि ।। १६ ।। નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ત માન; હું યોગી ! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ. ૧૬ [ ૩૧ * આત્મદર્શન એ જ મોક્ષનું કા૨ણ છે * હું ધર્માત્મા ! આ આત્માનું દર્શન તે એક જ દર્શન મોક્ષનો માર્ગ છે. આત્મા એક સમયમાં અનંતગુણ સમ્પન્ન પ્રભુ છે, તેના દર્શન એટલે કે પહેલાં શાસ્ત્ર પદ્ધતિથી એવા આત્માને જાણીને-સર્વજ્ઞના કથન દ્વારા બતાવેલી રીત વડે આત્માને પહેલાં જાણીને મન-વચન ને કાયાથી ભિન્ન, પુણ્ય-પાપના રાગથી જુદો ને ગુણી અને ગુણના ભેદથી રહિત એવા આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે. આત્માના દર્શન એટલે કે જ્યાં મનનું પહોંચવું નથી, વાણીની ગતિ નથી, કાયાની ચેષ્ટા જ્યાં કામ કરતી નથી, વિકલ્પનો જ્યાં અવકાશ નથી અને ગુણી-ગુણના ભેદનું અવલંબન નથી, એવો જે અભેદ અખંડ એકરૂપ આત્મા તેનું અંતર દર્શન કરવું, પ્રતીત કરવી તે એક જ આત્મદર્શન-સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યગ્દર્શન એક જ મોક્ષનો માર્ગ છે. અભેદ અખંડ શુદ્ધ આત્માને અનુસરીને તેનો અનુભવ કરવો તે એક જ સમ્યગ્દર્શન છે, એ સિવાય બીજો કોઈ પ્રકાર સમ્યગ્દર્શનનો નથી. એકરૂપ અભેદ અખંડ ચૈતન્ય તે આત્મા અને તેનું દર્શન અંતરમાં તેનો અનુભવ કરીને પ્રતીત કરવી તે એક જ સમ્યગ્દર્શન છે, તે એક જ મોક્ષમાર્ગ છે, બે સમ્યગ્દર્શન નથી તેમ જ બે મોક્ષમાર્ગ નથી. આત્માનું દર્શન એક જ-એમ કહેતાં આત્મા સિવાય બીજી ચીજો પણ છે ખરી, અજીવ છે, મન-વચન-કાયાની અજીવચેષ્ટાઓ પણ છે, અંદર આત્મામાં જેનો અભાવ છે એવા Please inform us of any errors on [email protected]
SR No.008243
Book TitleHoon Parmatma Choon
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy