________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જિન આદેશઃ
[પ્રવચન નં. ૬]
એક જ મોક્ષમાર્ગ : ૫૨માત્મદર્શન
[ શ્રી યોગસા૨ ઉ૫૨ ૫૨મ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૨-૬-૬૬ ]
આ યોગીન્દુદેવકૃત યોગસાર છે. યોગસારનો ખરો અર્થ તો એ છે કે યોગ એટલે આત્મસ્વભાવનો વેપા૨ ને તેનો સાર; યોગ એટલે જોડાવું-ચૈતન્ય પૂરણ દ્રવ્યસ્વભાવ સાથે જોડાણ કરવું, તેમાં એકાગ્રતા કરવી ને તેનો સાર એટલે કે ૫૨માર્થ મોક્ષમાર્ગ; તેની વ્યાખ્યા અહીં કરી છે. તેમાં આ ૧૬મી ગાથામાં તો બહુ ઊંચી વાત કરી છે.
अप्पा- दंसणु एक्कु परु अण्णु ण किं पि वियाणि । मोक्खह कारण जोइया णिच्छंइं एहउ जाणि ।। १६ ।। નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ત માન;
હું યોગી ! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ. ૧૬
[ ૩૧
* આત્મદર્શન એ જ મોક્ષનું કા૨ણ છે *
હું ધર્માત્મા ! આ આત્માનું દર્શન તે એક જ દર્શન મોક્ષનો માર્ગ છે. આત્મા એક સમયમાં અનંતગુણ સમ્પન્ન પ્રભુ છે, તેના દર્શન એટલે કે પહેલાં શાસ્ત્ર પદ્ધતિથી એવા આત્માને જાણીને-સર્વજ્ઞના કથન દ્વારા બતાવેલી રીત વડે આત્માને પહેલાં જાણીને મન-વચન ને કાયાથી ભિન્ન, પુણ્ય-પાપના રાગથી જુદો ને ગુણી અને ગુણના ભેદથી રહિત એવા આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે.
આત્માના દર્શન એટલે કે જ્યાં મનનું પહોંચવું નથી, વાણીની ગતિ નથી, કાયાની ચેષ્ટા જ્યાં કામ કરતી નથી, વિકલ્પનો જ્યાં અવકાશ નથી અને ગુણી-ગુણના ભેદનું અવલંબન નથી, એવો જે અભેદ અખંડ એકરૂપ આત્મા તેનું અંતર દર્શન કરવું, પ્રતીત કરવી તે એક જ આત્મદર્શન-સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યગ્દર્શન એક જ મોક્ષનો માર્ગ છે. અભેદ અખંડ શુદ્ધ આત્માને અનુસરીને તેનો અનુભવ કરવો તે એક જ સમ્યગ્દર્શન છે, એ સિવાય બીજો કોઈ પ્રકાર સમ્યગ્દર્શનનો નથી. એકરૂપ અભેદ અખંડ ચૈતન્ય તે આત્મા અને તેનું દર્શન અંતરમાં તેનો અનુભવ કરીને પ્રતીત કરવી તે એક જ સમ્યગ્દર્શન છે, તે એક જ મોક્ષમાર્ગ છે, બે સમ્યગ્દર્શન નથી તેમ જ બે મોક્ષમાર્ગ નથી.
આત્માનું દર્શન એક જ-એમ કહેતાં આત્મા સિવાય બીજી ચીજો પણ છે ખરી, અજીવ છે, મન-વચન-કાયાની અજીવચેષ્ટાઓ પણ છે, અંદર આત્મામાં જેનો અભાવ છે એવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com