________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦]
આત્માના શુદ્ધ સ્વરૂપના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રગટપણા વિના છેલ્લામાં છેલ્લા શુભ પરિણામ કર તોપણ તે આત્માને સંવર-નિર્જરાનું કારણ નથી, તે બંધનું જ કારણ છે. ચોથેકાળે પણ આ જ વાત છે ને પંચમકાળે પણ આ જ વાત છે. પાંચમો આરો છે માટે શુભભાવ કાંઈક લાભનું કારણ હશે એમ નથી, શુભભાવ બંધનું જ કારણ છે.
બહિરાત્મા મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગીના આચરણ પાળે છે. શાસ્ત્રોક્ત વ્રત, સમિતિ, ગુતિ પાળે છે, તપ કરે છે પણ આત્મજ્ઞાન નથી તેથી મહાન પુણ્ય બાંધે છે ને નવમી રૈવેયક જાય છે. પરંતુ શુદ્ધ ચિદાનંદ આત્માનો અંતર વિશ્વાસ આવ્યા વિના પુણ્યના વિશ્વાસ ચઢી ગયો-ખોટા વિશ્વાસ ચઢી ગયો, ખોટે રસ્તે ચઢી ગયો, તેથી તે મોક્ષસુખને પામતો નથી ને ચાર ગતિમાં ફરી ફરી ભ્રમણ કરે છે.
માટે અહીં તો કહે છે કે અશેષ પુણ્યના જેટલા ભાવ હો તેટલા કરવામાં આવે છતાં તેનાથી ભિન્ન ભગવાન આત્માનું ભાન ન કરે તો તેને પરિભ્રમણ કદી મટે નહીં, ચાર ગતિમાં રખડવાનું થાય ને તેને અવતાર કોઈ દી ઘટે નહીં.
* ઈસ સંસારમેં દેહાદિ સમસ્ત સામગ્રી અવિનાશી નહીં હૈ, જૈસા શુદ્ધ બુદ્ધ પરમાત્મા અકૃત્રિમ હૈ, વૈસા દેહાદિમૅસે કોઈ ભી નહીં હૈ. સબ ક્ષણભંગુર હૈ, શુદ્ધાત્મતત્ત્વકી ભાવનાએ રહિત જો મિથ્યાત્વ વિષય-કષાય હૈં, ઉનસે આસક્ત હોકે જીવને જો કર્મ ઉપાર્જન કિયે હૈં, ઉન કર્મોસે જબ યહ જીવ પરભવમે ગમન કરતા હૈ, તબ શરીર ભી સાથ નહીં જાતા. ઈસલિયે ઈસ લોકમેં ઈન દેહાદિક સબકો વિનશ્વર જાનકર દેહાદિકી મમતા છોડના ચાહિયે,
ઔર સકલ વિભાવ રહિત નિજ શુદ્ધાત્મ પદાર્થકી ભાવના કરની ચાહિયે.
-શ્રી પરમાત્મપ્રકાશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com