SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા] [૨૩૫ હું અસંખ્ય પ્રદેશી છું' એવું લક્ષ કરવું તે પણ ભેદ છે, વિકલ્પ છે, તેથી જ પંચાસ્તિકાયમાં તો લીધું છે કે હું એક પ્રદેશી એકરૂપ વસ્તુ છું. અસંખ્યપ્રદેશ હોવાં છતાં વસ્તુ અભેદ છે પણ તેનો અર્થ એમ નથી કે આત્મા અસંખ્યપ્રદેશી છે તે વ્યવહારથી છે. અસંખ્ય પ્રદેશ તો નિશ્ચયથી છે પણ તેનો ભેદ-વિચાર કરવો તે વ્યવહાર છે. ૪૭ શક્તિમાં એક “નિયતપ્રદેશત્વ' શક્તિ છે એટલે અસંખ્ય પ્રદેશ નિયત છે. પણ અભેદદષ્ટિમાં ભેદ દેખાતા નથી. અભેદમાં ભેદ નથી એમ નથી પણ અભેદદષ્ટિમાં ભેદનું લક્ષ કરે તો વિકલ્પ ઊઠે અને રાગ થાય તો અભેદષ્ટિ જ રહેતી નથી. એકે એક વાતની ચોખવટ કરીને આચાર્યદવે સને ઘણું સ્પષ્ટ કર્યું છે. અસંખ્ય પ્રદેશમાં આત્માના અનંત ગુણો પથરાયેલા છે. એક પ્રદેશના બીજા પ્રદેશમાં અભાવ છે. વ્યવહારને ભૂલી જવાનો નથી પણ ગૌણ કરીને સ્વભાવની દષ્ટિ કરવાની છે. વ્યવહારનો અભાવ કરે તો તે વસ્તુ જ ન રહે. વીતરાગશાસન આવું છે ભાઈ ! હવે ૧૦૭ મી ગાથામાં મુનિરાજ કહે છે કે આત્માનું દર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છે. जे सिद्धा जे सिज्झिहिं जे सिज्झहि जिण-उत्तु । अप्पा-दंसणि ते वि फुडु एहउ जाणि णिभंतु ।। १०७।। જે સિદ્ધયા ને સિદ્ધશે, સિદ્ધ થતાં ભગવાન; તે આતમદર્શન થકી, એમ જાણ નિત્ત. ૧૦૭. જે કોઈ સિદ્ધ થઈ ગયા, ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં મહાવિદેહમાંથી સિદ્ધ થઈ રહ્યાં છે તે બધા આત્મદર્શનથી જ મુક્તિ પામે છે. મુનિરાજે ત્રણેય કાળની વાત લઈ લીધી છે. અનંત સિદ્ધ થયા, અનંત સિદ્ધ થશે અને વર્તમાનમાં સિદ્ધ થાય છે તે બધા આત્મઅનુભવથી જ થાય છે. ત્રણેય કાળમાં એક જ માર્ગ છે એ વાત આમાં આવી ગઈ. એક હોય ત્રણકાળમાં, પરમારથનો પંથ” આ વાતને સંદેહ રહિતપણે તું માન! મોક્ષ એ આત્માનો પૂર્ણ સ્વભાવ છે અને મોક્ષમાર્ગ એ તે જ સ્વભાવના શ્રદ્ધાન, જ્ઞાનનો અનુભવ છે. પૂર્ણ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ દ્વારા અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ. વસ્તુ ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે તેને બંધ કેવો અને આવરણ કેવા? એવા મુક્ત સ્વભાવનું શરણ લેતાં જે અનુભવ થાય તે મોક્ષમાર્ગ છે. પોતાનો આત્મા જ સાધ્ય છે અને પોતાનો આત્મા જ સાધક છે. ઉપાદાન કારણ કાર્યરૂપ થઈ જાય છે એટલે શુદ્ધ ઉપાદાન સ્વભાવ પોતે જ પરિણમીને પૂર્ણાનંદની પ્રાતિરૂપી કાર્યને પામે છે. વજવૃષભનારા સંહનન અને મનુષ્યપણું કાંઈ કેવળજ્ઞાનના કાર્યરૂપે પરિણમતું Please inform us of any errors on [email protected]
SR No.008243
Book TitleHoon Parmatma Choon
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy