SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮] સ્વરૂપની દષ્ટિ-જ્ઞાનપૂર્વક સ્થિરતા કરવી તે નિશ્ચયચારિત્ર છે. આવી નિશ્ચયરત્નત્રયની ભક્તિ શ્રાવકને ધ્યેય છે. અરે! ચોથા ગુણસ્થાનમાં પણ મુક્તસ્વરૂપ આત્માનું જ્યાં ભાન થાય છે અને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે, તો શ્રાવકને તો બે કષાયનો નાશ થવાથી શાંતિ વિશેષ વધી જાય છે. આ સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી શાંતિને અહીં શુદ્ધ નિશ્ચયરત્નત્રય કહેલ છે. નિર્વાણનો સાક્ષાત ઉપાય તો નિગ્રંથપદ છે. અહો ! અલૌકિક વાત છે. અંતરમાં ત્રણ કષાયના અભાવરૂપ નિગ્રંથભાવ અને બારમાં દ્રવ્યલિંગ પણ નિગ્રંથ હોય તે અંતર-બાહ્ય નિર્ચથદશા સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે. સમ્યગ્દષ્ટિને સ્વભાવમાં જ સુખ છે અને ઈન્દ્રિયના વિષયોમાં સુખ નથી એવી દઢ પ્રતીતિ હોવા છતાં, ઈન્દ્રિયના વિષયોમાં આસક્તિ રહે છે. કેમ કે આસક્તિ થવી તે ચારિત્રનો દોષ છે અને ઈન્દ્રિય વિષયોમાં સુખ છે એમ માનવું તે મિથ્યાત્વનો દોષ છે. સમ્યગ્દષ્ટિને ત્રણકાળ ત્રણલોકમાં એક પોતાના આત્મા સિવાય ક્યાંય સુખબુદ્ધિ થતી નથી. જ્યાં સુખ હોય ત્યાં સુખબુદ્ધિ હોય કે જ્યાં સુખ ન હોય ત્યાં સુખબુદ્ધિ હોય ? પોતાનો આનંદ તો પોતામાં છે, પુણ્ય-પાપ ભાવમાં પોતાનો આનંદ નથી-એવી શ્રદ્ધા ધર્મીને પ્રથમ દષ્ટિમાં જ થઈ જાય છે. ધર્મીએ આવી શ્રદ્ધા હોવા છતાં પણ હજુ પાંચ ઈન્દ્રિયના વિષયો પ્રત્યેથી લાલસા છૂટતી નથી, આસક્તિ છૂટતી નથી. ત્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી, કુટુંબ સાથે રહીને યથાશક્તિ આત્માનું મનન કરે છે. અંતરમાં વિશેષ સ્થિર થવાની શક્તિ ન હોય અને બહારથી બધું છોડીને બેસી જાય તો પછી હઠથી પરિષહ આદિ સહન કરે, બોજો વધી જાય. કેમ કે અંતર શક્તિ તો છે નહિ. આથી જ કુંદકુંદ-આચાર્ય મુલાચારમાં એક જગ્યાએ લખ્યું છે કે જો ભાઈ ! તારી દષ્ટિ સમ્યક થઈ છે તો તારા સમ્યગ્દર્શનમાં દોષ ન લાગે તે માટે બરાબર ધ્યાન રાખજે. આસક્તિ ન છૂટે તો લગ્ન કરી લેજે પણ મિથ્યાષ્ટિ સાધુનો સંગ કદાપિ ન કરીશ. કેમ કે લગ્ન કરવા તે ચારિત્રનો દોષ છે પણ મિથ્યાશ્રદ્ધાવંતના સંગમાં ચડવાથી પોતાની શ્રદ્ધા મિથ્યા થઈ જાય તો તે શ્રદ્ધાથી જ ભ્રષ્ટ થઈ જાય. શ્રોતા-અરે! પણ સંતો આમ લગ્ન કરવાનું કહે? પૂજ્ય ગુરુદેવ-અરે ભાઈ ! તેનો અર્થ સમજવો જોઈએ. મુનિને તો વિવાહ આદિ કાર્યોનો નવ-નવ કોટીએ ત્યાગ હોય છે. મન-વચન-કાયાથી એવા કાર્યો કરે નહિ, કરાવે નહિ અને કરતાને અનુમોદે નહિ. પણ અહીં તો મિથ્યાત્વથી બચવા માટે આ વાત કહી છે. મિથ્યાદર્શનનું પાપ ચારિત્રદોષથી ઘણું મોટું છે. પણ લોકોને મિથ્યાદર્શનનું પાપ અને સમ્યગ્દર્શનરૂપ ધર્મની શું કિંમત છે તેની ખબર જ નથી. “સિબ્સતિ વરિયમ હંસામાં સિક્વંતિકા' સ્ત્રીના સંગમાં ચારિત્રનો દોષ લાગશે, શ્રદ્ધાનો દોષ નહિ લાગે. જ્યારે જેની દષ્ટિ જ વિપરીત છે એવા ભલે સાધુ હોય પણ તેના સંગથી સમકિતીની શ્રદ્ધા પણ વિપરીત થઈ જાય તો શ્રદ્ધાનો મોટો દોષ લાગે છે. મૂલાચારમાં Please inform us of any errors on [email protected]
SR No.008243
Book TitleHoon Parmatma Choon
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy