SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ] આપે પર્યાયરૂપે પ્રાપ્ત કર્યા છે–એ મારા જ્ઞાનમાં છે. આપે આવું પ્રાપ્ત કર્યું એની સત્તાનો અમને સ્વીકાર છે. આવા અરિહંતો હોય એનું અમને જ્ઞાન છે, ભાન છે અને તેથી અમે નમસ્કાર કરીએ છીએ. અંધશ્રદ્ધાએ નમસ્કાર કરીએ છીએ એમ નથી-એમ કહે છે. | સર્વજ્ઞ ત્રિલોકનાથ વીતરાગે કહેલા માર્ગ સિવાય બીજે ક્યાંય આ માર્ગ હોઈ શકે નહિ. પરંતુ એના માર્ગમાં જન્મ્યા તોય ખબર ન મળે! એમ ને એમ ભગવાન ભગવાન કર્યા કરે! અહીં કહે છે કે અરિહંત પરમાત્મા આત્મા હતા ને તેને અનાદિનો આઠ કર્મોનો સંબંધ હતો, તેણે ચાર ઘાતિકર્મને ટાળ્યા ને તેઓ અનંત ચતુષ્ટયને પામ્યા.-એવા જિનેન્દ્રદેવના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરીને હવે હું પ્રિયકારી, આત્માના હિતના માર્ગને કહેનાર સુંદર કાવ્ય-શ્લોકોને કહું છું. હવે ગ્રંથ રચવાની યોગ્યતાને કહે છે: - - संसारह भयभीयहं मोङ्कखहं लालसयाहं । પપ્પા-સંવાદ- ય ય વોરા માદા રૂપા ઈચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત; તે ભવી જીવ સંબોધવા, દોહા રચ્યા એકચિત્ત. ૩. આચાર્ય મહારાજ યોગીન્દ્રદેવ કહે છે કે આ કાવ્ય કોને માટે બનાવું છું?-કે સંસારથી ભય રાખનારાઓ માટે, ચાર ગતિથી ભય પામ્યા હોય તેને માટે કહું છું. જેને ચાર ગતિમાં રહેવું છે ને મજા કરવી છે તેને માટે નહિ હો! જેને સ્વર્ગના સુખથી પણ ભય લાગે છે, કેમ કે સ્વર્ગના સુખની કલ્પના તે પણ દુઃખ છે, ચક્રવર્તીના રાજ્ય હોય કે એક દિવસના અબજો રૂપિયાની પેદાશો હોય-એ બધી કલ્પનાઓ દુઃખ છે, એ દુ:ખથી જેને ત્રાસ થયો છે કે હવે આ દુ:ખ નહિ, આ દુ:ખ ન જોઈએ-એને માટે આ માટે આ કાવ્ય કહું છું એમ કહે છે. મોક્ષાર્થીઓ માટે મારી આ વાત છે, ચારગતિનો ત્રાસ....ત્રાસ....અરેરે ! અવતાર....! અવતરવું એ દુઃખરૂપ છે. જનમ-મરણ....સંયોગ એ બધું દુઃખરૂપ છે. ચારગતિની પ્રાપ્તિ, ઇન્દ્રપદની પ્રાપ્તિ પણ દુઃખરૂપ છે. કેમ કે ઇન્દ્રપદની પ્રાપ્તિમાં જે લક્ષ જાય છે એ બધાં રાગ દુઃખરૂપ છે. ધર્માત્માને અધૂરું રહ્યું ને સ્વર્ગમાં જાય છે ને જુએ છે ને કહે કે અરેરે ! અમારે રાગ બાકી રહી ગયો એમાં આ મળ્યું? અરેરે ! અમારા કામ ઓછાં-અધૂરાં રહ્યાં. સ્વરૂપમાં સ્થિરતા કરવી જોઈએ તેટલી અમે ન કરી શક્યા તેના આ ફળ આવ્યા–એમ ખેદ કરે છે. ધર્માત્મા ઇન્દ્રપદને દેખીને ખેદ કરે છે કે અરે ! આ ફળ આવ્યા! અરે! અમારો આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, પૂરણજ્ઞાન ને આનંદની પ્રાપ્તિ કરે એવી શક્તિવાળો તેને આ સંયોગના ફળ મળ્યા! અરે ! અમે કામ બાકી રાખ્યાતા! અમારા કામ અધૂરાં રહી ગયા-એમ ખેદ કરે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008243
Book TitleHoon Parmatma Choon
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy