________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૧૩૯ [ પ્રવચન નં. ૨૬]
એમ નક્કી કર – ત્રિલોકપ્રધાન નિજ પરમાત્મા
આ દેહમાં જ બિરાજમાન છે [ શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. પ-૭-૬૬ ]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેમાં ૭૧ મો શ્લોક છે. યોગીન્દ્રદેવ કહે છે કે જ્ઞાની પુણને પણ પાપ કહે છે.
जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेइ । નો પુગુ વિ પાક વિ મણ સો યુદ (?) વો વિ દવેઙ્ગ ૭ફા
પાપરૂપને પાપ તો, જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧ હિંસા, જૂઠું, ચોરી આદિના અશુભભાવોને તો આખી દુનિયા પાપ કહે છે પણ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિના શુભભાવને પણ પાપ કહેનારા કોઈ અનુભવી જ્ઞાની જ હોય છે. જેમ પાપભાવ બંધનું કારણ છે તેમ પુણ્યભાવ પણ બંધનું જ કારણ છે. બન્ને આકુળતા ઉપજાવનારા છે. માટે જ્ઞાની બન્નેને પાપ જ કહે છે.
કર્મક્ષયકારક, આત્માનંદદાયક, એક શુદ્ધોપયોગને જ જ્ઞાની માન્ય કરે છે એટલે કે આદરણીય માને છે. જેવો પરમાત્માનો સ્વભાવ છે તેવો જ પોતાનો આત્મા છે. એવા આત્માની દૃષ્ટિ કરતાં જે શુદ્ધ આચરણ પ્રગટે છે તે જ ઉપાદેય છે, હિતકારક છે. પુણ્યપાપભાવ કર્મબંધનના કારણો છે, તેનાથી વિરુદ્ધ શુદ્ધભાવ કર્મક્ષયનું કારણ છે. પુણ્યપાપભાવ દુઃખકારક છે તો શુદ્ધાત્માની દષ્ટિ, જ્ઞાન અને શુદ્ધ-ઉપયોગ આનંદદાયક છે. આત્મા પોતે આનંદસ્વરૂપ છે. તેથી તેનો અંતર વ્યાપાર-ઉપયોગ પણ આનંદદાયક છે. પુણ્ય-પાપ ભાવમાં-પુણ્યમાં આકુળતા અને પાપમાં તીવ્ર આકુળતા છે, પણ બંન્નેમાં આકુળતા અને દુ:ખ જ છે.
ધર્મીજીવને પણ શુભ-અશુભભાવ આવે છે પણ ધર્મી તેને હિતકારક માનતા નથી. ધર્મીની દ્રષ્ટિ તો આત્મા ઉપર છે તેથી તેને તો એવી જ ભાવના હોય છે કે હું નિરંતર મારા આત્મબાગમાં રમું, આત્મામાં એકાગ્રતા કરીને નિરંતર વીતરાગભાવની સેવા કરું અને સિદ્ધ સમાન મારા પદમાં જ પ્રેમ કરું, એવી જ્ઞાનીને નિરંતર ભાવના રહે છે.
જ્ઞાનીને હજુ આત્મવિયની કમી હોવાથી કર્મોદયવશ ગૃહસ્થને યોગ્ય બધાં કાર્ય કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com