SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ] [૧૩૧ વાત જગતને સાંભળવી દુર્લભ છે. પરિચય કરવો દુર્લભ છે અને અનુભવમાં લેવી એ તો એથી પણ વધુ દુર્લભ છે. કેટલાક પંડિતો વિદ્વાનો ક્રિયાકાંડથી ધર્મ મનાવે છે. જ્યારે અહીં ક્રિયાકાંડથી તો ધર્મ ન થાય પણ વિકલ્પથી કે ગુણભેદથી પણ ધર્મ ન થાય એવી વાત છે. ધર્મીભગવાન આત્મા અને આનંદ તેનો ગુણ એવા ભેદના લક્ષથી પણ ધર્મ ન થાય. આવી વાત કહેનારા વિરલા જ્ઞાની પણ જો કદાચ મળી આવે તો તેને સાંભળનારાં સચિવંત શ્રોતા પણ દુર્લભ છે. ભાઈ ! તું તો નિર્દોષ દશા પ્રગટ કરવા માગે છે તેવી અનંતી દશા-અવસ્થાનો પિંડ જ તું પોતે છો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પિંડ તું પોતે છો, તેના સિવાય બીજું તારે શું જોઈએ છે? સચિવંત જીવોને માટે આ વાત છે. આવા જીવો જગતમાં બહુ વિરલ છે. તેમાં પણ આત્માનુભૂતિ પ્રગટ કરનારાં જીવો તો વિરલ.. વિરલવિરલ છે. આ માનવજન્મ પ્રાપ્ત કરીને નિર્મળ અનુભૂતિ પ્રગટ કરવાનો ઉપાય કરવો જરૂરી છે. જેને આત્મજ્ઞાનની રુચિ થાય તેને માર્ગ મળે જ છે. એ માર્ગથી જીવ સીધો મોક્ષમાં પહોંચી જાય છે. આ ભયાનક સંસારમાં રખડતાં જીવને આત્મજ્ઞાનરૂપી મહારત્વ ક્યાંય મળ્યું નથી. હવે જો તને આ રત્ન મળ્યું હોય-આત્મજ્ઞાન થયું હોય તો જરા પણ પ્રમાદ ન કરીશ. વિષયોની લોલુપતામાં આ રત્ન ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખજે. આ વાત સાર સમુચ્ચય” માં લીધી છે અને ટોડરમલજી પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ” માં લખે છે કે આત્માની અનુભૂતિમાં રહેજે, બહાર ખોવાઈ ન જઈશ ! આ ચિઠ્ઠી તો એવી અમૂલ્ય છે કે એક માણસે લખેલું કે જો આ ચિઠ્ઠી અંગ્રેજીમાં હોત અને વિલાયતમાં પહોંચી હોત તો એક એક ચિઠ્ઠીની કિંમત હજારોની થાત. આ રીતે ૬૬મી ગાથામાં આત્મરસિક જીવોની વિરલતા બતાવી. હવે ૬૭માં મુનિરાજ કહે છે કે કુટુંબમોહ ત્યાગવા યોગ્ય છે. इहु परियण ण हु महुतणउ इहु-दुक्खहं हेउ । इम चिंततहं किं करइ लहु संसारहं छेउ ।। ६७।। આ પરિવાર ન મુજતણો, છે સુખદુ:ખની ખાણ: જ્ઞાનીજન એમ ચિંતવી, શીધ્ર કરે ભવહાણ. ૬૭ ધર્માત્મા જીવે નિજ આત્મસ્વભાવમાં યોગ નામ જોડાણ-એકાગ્રતા કરવા માટે કુટુંબ પ્રત્યેનો મમત્વભાવ છોડવાયોગ્ય છે. કુટુંબના મોહમાં રોકાઈને આત્મધ્યાન ખોવા જેવું નથી. કુટુંબ-પરિવાર એ તો ધૂતારાની ટોળી છે. નિયમસારમાં આવે છે ને! પોતાના સ્વાર્થ માટે-પોતાનું પેટ ભરવા માટે ધૂતારાની ટોળી મળી છે. સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ લૌકિક સુખ-દુઃખના એટલે કે દુ:ખના જ નિમિત્તો છે. તેના પાલનપોષણમાં રોકાઈશ નહિ. આત્માની દરકાર કરીને આત્માનું ધ્યાન કરજે. Please inform us of any errors on [email protected]
SR No.008243
Book TitleHoon Parmatma Choon
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy