SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ॐ परमात्मने नमः । હું ૫રમાત્મા શ્રી યોગીન્દ્દેવ-વિરચિત યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચન [પ્રવચન નં. ૧] પૂજ્ય ગુરુદેવશ્રીનાં મંગલ આશીષઃ અમે તને પરમાત્મપણે દેખીએ છીએ (શ્રી યોગસા૨ ઉપ૨ ૫રમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૬-૬-૬૬) શ્રી યોગીન્દ્રદેવ નામના વનવાસી દિગંબર સંત-આચાર્ય ૧૩૦૦–૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયા; તેમણે આ યોગસાર અને પરમાત્મપ્રકાશ જેવા બે પ્રસિદ્ધ શાસ્ત્રો રચ્યાં છે. તેમાં આ યોગસાર એટલે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં યોગ નામ જોડાણ કરીને, સાર એટલે તેની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તેનું નામ યોગસા૨ છે. દિગંબર સંતોએ તત્ત્વનું દોહન કરીને બધું સાર....સાર જ આપ્યું છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, યોગસાર આ બધાં શાસ્ત્રોમાં સંતોએ તત્ત્વનો સાર આપ્યો છે. યોગસાર તે પર્યાય છે પણ તેનો વિષય ત્રિકાળ ધ્રુવ-શાશ્વત શુદ્ધ સત્ વસ્તુ છે, તેનું ધ્યેય બનાવીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરવી તેને ભગવાન અહીં યોગસાર કહે છે. Please inform us of any errors on [email protected]
SR No.008243
Book TitleHoon Parmatma Choon
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy