________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्रीसद्गुरुदेवाय। * પ્રકાશકીય નિવેદન * ગુરુદેવશ્રીનાં વચનામૃત' નામનું આ લઘુ સંકલન અધ્યાત્મયુગન્ના, વીર-કુંદ-અમૃતપ્રણીત શુદ્ધાત્મમાર્ગ પ્રકાશક, સ્વાનુભવવિભૂષિત, પરમોપકારી પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં, શ્રી સમયસાર વગેરે અનેક દિગંબર જૈન શાસ્ત્રો પર આપેલાં અધ્યાત્મરસભરપૂર પ્રવચનોમાંથી, પૂજ્ય ગુરુદેવશ્રીની પવિત્ર સાધનાભૂમિ સુવર્ણપુરી મધ્યે “પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સ્મારકયોજના અંતર્ગત નવનિર્મિત “શ્રી દિગંબર જૈન પંચમેનંદીશ્વર-જિનાલય * ગુરુદેવશ્રી કાનજીસ્વામી વચનામૃતભવન * બહેનશ્રી ચંપાબેન વચનામૃતભવન” –એ ત્રિપટા અભિધાનયુક્ત અતિ ભવ્ય જિનમંદિરની દિવાલોના આરસશિલાપટ પર ઉત્કીર્ણ કરાવવા માટે ચૂંટેલા ૨૮૭ બોલનો સંગ્રહ છે.
ભારતવર્ષની ધન્ય ધરા પર વિક્રમની વીસમીએકવીસમી શતાબ્દીમાં સમયસારના મહિમાનો જે આ અદભુત ઉદય થયો છે તે, ખરેખર અધ્યાત્મયુગપ્રવર્તક પરમ કૃપાળુ પુજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો કોઈ અસાધારણ પરમ પ્રતાપ છે.
સમયસાર એટલે દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મ રહિત ત્રિકાળી
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com