SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ભવ કર. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે કે પરિષહ આવ્યે પણ જીવની જ્ઞાનધારા ડગે નહિ. ત્રણ કાળ ને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એકસાથે સામે આવીને ઊભા રહે તોપણ માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયકસ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિ ને રાગાદિથી ભિન્નપણે જેણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરા પણ અસર કરી શકે નહિ–ચૈતન્ય પોતાની જ્ઞાતૃધારાથી જરા પણ ડગે નહિ ને સ્વરૂપસ્થિરતાપૂર્વક બે ઘડી સ્વરૂપમાં લીનતા થાય તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે, જીવન્મુક્તદશા થાય અને મોક્ષદશા થાય. ૩૮. * ૨૫ અજ્ઞાની માને છે કે ભગવાન મને તારી દેશેઉગારી દેશે; એનો અર્થ એવો થયો કે મારામાં કાંઈ માલ નથી, હું તો સાવ નમાલો છું. એમ પરાધીન થઈને, સાક્ષાત્ ભગવાન સામે કે તેમની વીતરાગ પ્રતિમા સામે રાંકો થઈને, કહે કે ભગવાન! મને મુક્ત કરજો. ‘ વીન ભયો પ્રમુદ્ર નû, મુત્તિ દાસે હોય?' રાંકો થઈને કહે કે હે પ્રભુ! મને મુક્તિ આપો; પણ ભગવાન પાસે તારી મુક્તિ કયાં છે? તારી મુક્તિ તારામાં જ છે. ભગવાન તને કહે છે કે દરેક આત્મા Please inform us of any errors on [email protected]
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy