________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮] શ્રી પંચમે-નંદીશ્વરજિનાલયમાં ઉત્કીર્ણ “ગુરુદેવશ્રીના વચનામૃત' પુસ્તકાકારે પ્રકાશિત થાય તો સૌ કોઈને તેના અધ્યયનનો લાભ મળે-એ હેતુથી તે છપાવવાનું “ટ્રસ્ટ”ની યોજનાતળે હતું, અને પૂજ્ય બહેનશ્રી પણ, આ પુસ્તક શીવ્ર બહાર પડે તો સારું-એવી અંતરમાં ગુરુવાણી પ્રત્યે તેમને ભક્તિભીની તીવ્ર ભાવના હોવાથી, અવારનવાર પૂછતાં કે
ગુરુદેવશ્રીનાં વચનામૃત” પુસ્તક કયારે બહાર પડશે?” પરંતુ તે કાર્ય વગર-પ્રયોજને ઢીલમાં પડયું હતું. તેવામાં, જેમણે પોતાની દેવ-ગુરુ પ્રત્યેની અપાર ભક્તિ વડે પંચમેનંદીશ્વરજિનાલય વગેરે સુવર્ણપુરી-તીર્થધામનાં બધાં જિનાયતનોનાં તથા બહારગામનાં અનેક જિનાયતનોનાં નિર્માણ કાર્યમાં તેમ જ સંસ્થાની ગતિવિધિમાં વિવિધ પ્રકારે અનુપમ સેવા આપી છે તે, (પૂજ્ય બહેનશ્રી અને પં. શ્રી હિંમતલાલભાઈના મોટા ભાઈ) એ રીતે ટ્રસ્ટને ઢીલમાં પડેલા આ પુસ્તકના પ્રકાશનકાર્યમાં વેગ મળ્યો અને આ “ગુરુદેવશ્રીનાં વચનામૃત” પુસ્તકાકારે સાકાર થયાં, જે મુમુક્ષુ-જગતના હાથમાં પ્રસ્તુત કરતાં અમે અતિ હર્ષાનંદ અનુભવીએ છીએ.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com