________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
જ્ઞાયક ભાવ ત્રિકાળમાં ઘૂસી જાય છે એમ નથી. પર્યાય, પર્યાયમાં રહે છે અને દ્રવ્ય, દ્રવ્યમાં રહે છે. છતાં દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે છે. અર્થાત્ આ પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે એવું જ્ઞાન પર્યાયમાં આવે છે. પણ એ વસ્તુ પર્યાયમાં આવી જતી નથી. સમજાણું કાંઈ ? હળવે-હળવે તો કહેવાય છે. અહા ! આ તો જિનેશ્વર દેવ પ્રભુનો મારગ છે. અનંત સર્વજ્ઞો અનંત તીર્થકરો આ વાત કહેતા આવ્યા છે. અને જીવે પણ તે વાત અનંતવાર સાંભળી છે. પરંતુ તેને રુચિ નથી. તેણે અંતરનો આશ્રય કરીને તેનું શરણ લીધું નથી.
તો કહે છે કે “આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે” ત્રિકાળી આત્મા શુદ્ધ છે. “આ શુદ્ધ નયનો વિષય છે.'
શું કહ્યું?
કે ત્રિકાળી આત્મા શુદ્ધ તો છે. પણ તેનું અહીં જેને જ્ઞાન થયું તેને તે શુદ્ધ છે. માટે, એ જે જ્ઞાનપર્યાય થઈ તેને પણ શુદ્ધ કહેવામાં આવી. કેમ કે તે અભેદ થઈ ગઈ ને! જે પૂર્ણ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેનું જ્ઞાન કરીને પર્યાય સ્વની સન્મુખ થઈ સ્વના આશ્રયે પ્રગટ થઈ તો તેને પણ અભેદ કહેવામાં આવે છે. અને અભેદની અપેક્ષાએ તેને પણ શુદ્ધ કહેવામાં આવે છે. બાકી પર્યાય છે એ તો વ્યવહારનયનો વિષય છે. ચાહે તો કેવળજ્ઞાન હો તો પણ એ વ્યવહારનયનો વિષય છે. પણ ધંધા આડે આવી ફુરસદ કયાં છે? નવરાશ કયાં છે! એક ધંધો હોય ત્યાં બીજી ધંધો ચલાવે, એક કારખાનું હોય તો બીજું કારખાનું કરે અને ત્રીજું કારખાનું કરે. આમાં નવરાશ કયાં મળે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com