________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આપશ્રીના શ્રીમુખે વહેલી જિનવાણીમાં શ્રી સમયસારની છઠ્ઠી ગાથા ઉપરનાં પ્રવચનોને વિશિષ્ટ સ્થાન છે. ૪૧૫ ગાથાઓનો સાર આવી જાય છે.
પ્રશમમૂર્તિ પૂ. બહેનશ્રીના વચનામૃતમાં આવે છે કે એક શબ્દ “જ્ઞાયક "માં બધું સમાઈ છે તે આ ગાથાના દર્શાવેલા ભાવોની ગહનતા બતાવે છે. જ્ઞાયક ભાવનું યથાર્થ સ્વરૂપ આ પ્રવચનોમાં બતાવવામાં આવ્યું છે અને એ રીતે “જ્ઞાયક ભાવ” એ આ પુસ્તકનું નામ પણ યથાર્થ છે.
પૂ. ભાઈશ્રી લાલચંદભાઈ આપશ્રીના હૃદયના ભાવો સમજાવતાં કહે છે કે આ પ્રવચનોનું ઘોલન આત્માનુભવ કરવામાં જીવોને જરૂર સહાયભૂત થશે. પૂ. ગુરુદેવશ્રીની યથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરતી વાણીનો પ્રચાર થાય તેવી ભાવના તેઓશ્રીને નિરંતર રહ્યા કરે છે.
આશા છે કે પરમકૃપાળુ ગુરુદેવશ્રીની આ ગાથાનાં ઘણાં ગૂઢ રહસ્યો પ્રગટ કરતી વાણી જીવોને યુગો સુધી માર્ગ ચીંધતી રહેશે.
કહાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટદેવલી
દેવલાલી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com