________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૮૫ દષ્ટિની અપેક્ષાએ વસ્તુ કે જે ત્રિકાળ જ્ઞાયક પ્રભુ છે તેની દષ્ટિએ એ જ અશુદ્ધતા છે તે વ્યવહાર છે, જ્યારે ત્રિકાળી જ્ઞાયકભાવ તે નિશ્ચય છે, પરંતુ તેથી પર્યાય અને અશુદ્ધતા બિલકુલ જ નથી એમ નથી.
અહા ! એ વિકારીભાવ પર્યાય દષ્ટિમાં સંયોગજનિત ભેદ છે અર્થાત્ તે વસ્તુમાં છે નહીં અને વસ્તુની દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. તો કહે છે કે અહીં દ્રવ્યદષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે, તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે વસ્તુની દષ્ટિ કરાવવા તે અશુદ્ધતાને પેટમાં ગૌણ રાખીને તેમાં નથી તેની પર્યાયમાં પણ નથી-એમ કહ્યું છે. પણ ગૌણ કરીને હો. પરંતુ પર્યાય છે જ નહીં એમ નહિ. તો એ પર્યાયને ગૌણ કરીને અર્થાત્ તેની મુખ્યતા લક્ષમાં ન લેવા માટે કેમ કે તે કારણથી ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન થાય છે માટે તે કારણેઅશુદ્ધતાને ગૌણ કરી છે. અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે વસ્તુ જે ચૈતન્ય પ્રભુ આત્મા છે-નિત્યાનંદ ધ્રુવમય જે વસ્તુ છે-તેની દષ્ટિમાં ગુણસ્થાન અને પુણ્ય-પાપ આદિ જે પર્યાયના ભેદો છે તે બધા ગૌણ છે, વ્યવહાર છે.” ત્રિકાળી જ્ઞાયકભાવ મુખ્ય છે જ્યારે પ્રમત્ત-અપ્રમત્ત આદિના જે ભેદ છે તે ગૌણ છે.
હવે કહે છે “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે” વસ્તુ કે જે ત્રિકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ ધ્રુવ પ્રભુ છે. તેમાં પલટો કે અવસ્થા પણ નથી–એવી જે ચીજ છે તે શુદ્ધ છે જ્યારે મલિન પર્યાય અને ભેદને અશુદ્ધ કહીને ઉપપાર કહીને “તે નથી” એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com