________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય
જ્ઞાયક ભાવ પુસ્તક મુમુક્ષુ સમાજને અર્પણ કરતાં કહાનજી સ્વામી ટ્રસ્ટ આનંદ અનુભવે છે.
શ્રી સમયસાર શાસ્ત્રની છઠ્ઠી ગાથાને પૂજ્ય ગુરુદેવશ્રીએ છઠ્ઠીના લેખ તરીકે જણાવી છે. શ્રી સમયસારના સિદ્ધાંતોની મુખ્ય ગાથાઓમાંની આ એક પરમ સારભૂત ગાથા છે.
શ્રી સમયસાર શાસ્ત્રના પૂજ્ય ગુરુદેવશ્રીના ઓગણીસમા વખતનાં પ્રવચનોમાંથી આ ગાથા ઉપર આશરે છ પ્રવચનો થયેલ છે. જે કેસેટ ઉપરથી ઉતારેલ છે. આ પુસ્તકમાં આ પ્રવચનો આપેલ છે જેમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્ઞાયક ભાવનું સ્વરૂપ તેઓશ્રીની આગવી શૈલીથી બહુ સ્પષ્ટ રીતે સમજાવેલ છે. આશા છે કે મુમુક્ષુઓને સ્વાધ્યાયમાં આ પુસ્તક ઉપયોગી
થશે.
શ્રી કહાનગુરુ સત્સાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ, રાજકોટ.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com