________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
જ્ઞાયક ભાવ અહા! શુભરાગ એ મજૂરી છે. તે તારી ચીજ નથી પ્રભુ ! અરે ! તારી ચીજમાં તો પર્યાય પણ નથી. અને આવી ચીજને પકડતાં જે પર્યાય થાય તે પર્યાયમાં શુદ્ધતામાં-“આ શુદ્ધ છે” તેમ જણાય છે. પણ એ દયા, દાન ને વ્રતના વિકલ્પના ભાવથી જણાય એવી નથી. કારણ કે એ તો રાગ છે, દુ:ખ છે. અહા ! વ્રત, તપ, ભક્તિ ને પૂજા એ તો રાગ છે, અને એ રાગ તો દુઃખ છે, જ્યારે ભગવાન આત્મા તો આનંદસ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદનો ગાંઠડો છે. તો તેની સેવા કરતાં એટલે કે તેનો સત્કાર કરતાં, તેનો આદર કરતાં, તેનું અધિકપણે કરતાં, બીજા કરતાં તેનું અધિકપણું ભાસતાં જેને પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય તેને
આ શુદ્ધ છે' એમ કહેવામાં આવે છે. ગજબ વાત છે ને! અહા! આ પ્રભુનાં વચનો છે બાપુ! બાકી બધાં થોથાં છે. સમજાણું કાંઈ ? એટલે કે સમજાઈ જાય તો તો અલૌકિક વાત છે. પણ સમજાણું “કાંઈ ” એટલે આ કઈ પદ્ધતિથી કહેવાય છે, કઈ રીતથી કહેવાય છે તેની ગંધ પણ આવે છે? એમ તેનો અર્થ છે. અરેરે ! પણ અનાદિથી મૂળ વાત મૂકીને બીજી વાત પકડીને તે બેઠો છે. મૂળ ભગવાન આત્મા પડ્યો છે ત્યાં જાતો નથી અને રાંકાપામર-એવા પુણ્ય ને પાપના ભાવને પકડીને તે બેઠો છે. અહા ! પુણ્ય ને પાપના ભાવ ભિખારા, રાંકા, પામર છે અને તેને પકડીને તે બેઠો છે. અરે! એક સમયની પર્યાય પણ પામર છે. સમ્યગ્દષ્ટિજીવને પૂર્ણ સ્વરૂપ પર્યાયમાં જણાય છે. છતાં એ પર્યાય પણ કેવળજ્ઞાનની પાસે પામર છે. તો પછી જે પર્યાયમાં હજી શું વસ્તુ છે તે જણાવ્યું નથી તેમ જ જે પર્યાય પરને જાણવામાં રોકાણી છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com