________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૧૭ સમાધાનઃ- બીજો એટલે કે તે રાગ નથી, રાગનું જ્ઞાન નથી. પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. અહા ! વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ (આગળ ૧૨મી ગાથામાં) આવશે. પરંતુ અહીં તો કહે છે કે એ રાગ છે તો રાગનું જ્ઞાન અહીં થયું છે એમ નથી. તેમ જ તે (જાણનાર) રાગને જાણે છે એમ પણ નથી. પણ એ તો રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થયું છે તેને તે જાણે છે. આવી વાત છે!
પ્રશ્ન:- જ્ઞાયક પણ આત્મા ને જ્ઞય પણ આત્મા?
સમાધાન- જ્ઞાયક ને જ્ઞય તરીકે અહીં તો પર્યાય લેવી છે. અત્યારે તો તેની પર્યાય લેવી છે. કેમ કે જે જણાયો છે તે પર્યાય પોતાની છે. અને તેને તે જાણે છે પરંતુ પરને જાણે છે એમ નથી. તથા “વળી જે જ્ઞાયકપણે જણાયો” એમ આવ્યું છે ને? તો તે પર્યાય છે. અહા! ઝીણી વાત છે ભાઈ ! આ અનંતકાળની મૂળ ચીજનો અભ્યાસ જ નથી ને! તેથી વાત ઝીણી લાગે છે.
અહા! અહીંયાં “તે જ છે, બીજો કોઈ નથી' એમ છે ને? “બીજો કોઈ નથી' એટલે કે તે પરનું રાગનું જ્ઞાન નથી. અર્થાત્ જાણનાર જાણે છે માટે જાણનારે પરને જાણ્યું છે કે પર જાણનારું જ્ઞાન છે એમ નથી. અહા! શબ્દ શબ્દ ગૂઢતા છે. કેમ કે આ તો સમયસાર છે ને! અને તેમાં પણ કુંદકુંદાચાર્ય! અહા ! ત્રીજે નંબરે આવ્યા ને! મંજિં ભવાન વીરો મંજિં નૌતમો Tળી મંત્નિ વવાર્યો...
પહેલા ભગવાન, બીજા ગણધર ને ત્રીજે કુંદકુંદાચાર્ય. નૈન ધર્મોડસ્તુ મંલિમ્ II અહા! બહુ આકરી વાતો છે. આને માટે ભાઈ ! પુરુષાર્થ ઘણો જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com