________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૬
જ્ઞાયક ભાવ
પર્યાય તે તેનું કાર્ય છે, પણ જણાવવા યોગ્ય વસ્તુ છે એનું એ જાણવાનું કાર્ય નથી. અને એ જણાવવા યોગ્ય વસ્તુ છે, જાણનારનું (જ્ઞાયકનું ) કાર્ય નથી. (૫૨ )
અહા ! અહીંયાં ‘જ્ઞાતઃ- જ્ઞાયકપણે જણાયો ’–એમ કીધું છે ને! તથા ‘જણાયો તે તો તે જ છે’–એમ પણ કહ્યું છે ને! તેથી તે (જ્ઞાયક) જાણનારો છે માટે, તેમાં બીજો જણાણો છે એમ નથી.
પ્રશ્ન:- પરંતુ તે જાણનાર છે ને! માટે-તે જાણનાર છે તેથી-તેમાં બીજો પણ જણાયો છે ને !
સમાધાનઃ- ના, કેમ કે જે જણાય છે તે પોતે જ છે. અથવા પોતાની પર્યાય જ જણાણી છે, જાણનારની પર્યાય જણાણી છે. અહા! રાગાદિ હો તો હો પરંતુ અહીં રાગસંબંધીનું જે જ્ઞાન છે તે જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે. અર્થાત્ તે રાગ છે માટે અહીં સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે એમ નથી.
અહા ! અહીંયાં જણાયો તે પોતે જ છે એમ કહે છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જે જણાયો છે તે જાણનારો જ છે, પરંતુ જાણનારો ' એવો અવાજ આવે છે એટલે જાણે કે તે બીજાને જાણે છે અને તે (જાણવું એ ) એનું (બીજાનું) કાર્ય છે એમ તેને થાય છે. પણ એમ નથી. કેમ કે બીજાને જાણવાને કાળે પણ પોતાની પર્યાય પોતાથી જણાણી છે. અને તે પર્યાય પોતાથી થઈ છે. એટલે કે જાણવાની પોતાની પર્યાય પોતાથી થઈ છે અને તે જાણે છે.
પ્રશ્ન:- ‘ બીજા કોઈ નથી' એમ કહ્યું છે તો બીજો એટલે
"
કોણ ?
Please inform us of any errors on rajesh@Atma Dharma.com