________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
જ્ઞાયક ભાવ પ્રભુનું-પરમાત્માનું કથન છે તેની અપેક્ષાએ જેમ એ ત્રિકાળ શુદ્ધાત્મા છે તે પણ વસ્તુનું સત્ત્વ છે, કસ છે તેમ પુણ્ય-પાપ ને પર્યાય પણ વસ્તુનું કસ છે, પર્યાયનું એ તત્ત્વ છે. અરે ! દરેકબધા શબ્દો અજાણ્યા! કેમ કે આ શબ્દો તેના ભણતરમાં ન આવે કે વેપારમાં ન આવે. અરે! અત્યારે તો સંપ્રદાયમાં પણ આ શબ્દો નથી “સ્યાદ્વાદ પ્રમાણે અપેક્ષાથી વસ્તુને સિદ્ધ કરવા માટે ત્રિકાળી શુદ્ધતા અને વર્તમાન અશુદ્ધતા એ બન્ને વસ્તુના ધર્મ છે. ધર્મ નામ તો બન્ને વસ્તુએ ધારી રાખેલી ચીજ છે, વસ્તુએ ધારી રાખેલ ભાવ છે. પણ ધર્મ નામ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ ધર્મની અહીંયાં વાત નથી, તો જેમ વસ્તુ ભગવાન આત્મામાં ત્રિકાળ જ્ઞાયકપણું એ ધારી રાખેલ ચીજ છે તેમ પુણ્ય-પાપ પણ પર્યાયમાં ધારી રાખેલ ચીજ છે. માટે પુણ્યપાપ અસ્તિ છે. પરંતુ પુણ્ય-પાપ નથી એમ નથી.
એ વસ્તુ છે ખરી, અશુદ્ધતા છે ખરી, કેમ કે જો પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો તો પર્યાય શુદ્ધ જ હોય. અને તે તો ધર્મ છે જ. તો પછી ધર્મ કરવો એ તો રહેતું નથી, “મારે ધર્મ કરવો છે” એવો પ્રશ્ન ઊઠે તો તેમાં શું આવ્યું? કે તેની પર્યાયમાં ધર્મ છે નહીં. પણ પર્યાયમાં અધર્મ છે. અને તેથી તો અધર્મનો નાશ કરીને ધર્મ કરવો છે, માટે, અધર્મ પણ પર્યાયમાં છે, આ તો લોજિકથી છે ને! અહા ! પ્રભુનો મારગ એવો છે. પણ અત્યારે તો અજાણ્યો થઈ ગયો છે.
વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે એટલે શું? કે જે ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક વસ્તુ છે તે પણ વસ્તુનું સત્ત્વ છે. પરંતુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com