SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩ પ્રવચન નં. - ૫ આપની નિશ્ચયની વાત તો એકદમ બરાબર આવે છે અને એ તો બરાબર જ છે, પણ સાથે સાથે જો કંઈક વ્યવહારની વાત આવે, તો સોનામાં સુગંધ ભળીજાય એમ. તો મેં કહ્યું કે આવતી કાલથી હું વ્યવહારની વાત પણ લઈશ, તો (તે ભાઈ ) ખુશી થઈને ઘરે ગયા. પ્રસિદ્ધ માણસ છે એ વ્યક્તિ, હા નામ ન લેવાય, અહીંયાં વિકથાની તો મનાઈ છે સખત ! અહીંયાં તો આત્મકથા ચાલે છે. તો આ વ્યવહારની–ભેદજ્ઞાનની વાત આવીને! તો બીજો દિવસે કહ્યું: “કે પુણ્ય પાપના પરિણામથી આત્મા ભિન્ન છે, એવું વારંવાર આત્માનું સ્મરણ કરવું-આ એનું નામ વ્યવહાર છે. ઇ આશા રાખીને બેઠા હતા કે કાંઈક શુભભાવની વાત કરશે, શુભ (ભાવ) કરતાંકરતાં આગળ વધીને ધરમ થશે, એવી વાત તો આવી નહીં. વીતરાગની ગાદી ઉપર આત્મા શુભભાવને કરે છે, એ વાત તો છે નહીં, અને શુભભાવથી લાભ થાય છે એ વાત (પણ) છે નહીં. “જે ભાવથી બંધ થાય એ ભાવથી મોક્ષ ન થાય” આ શ્રીમદ્જીનું વાકય છે. જે શુભાશુભ ભાવથી બંધ થાય, એ ભાવથી ત્રણકાળમાં મોક્ષ ન થાય. આહા..! એ ભેદજ્ઞાન છે ને ઇ વ્યવહાર છે. ભેદજ્ઞાન એટલે ભાવકર્મ, દ્રવ્યકર્મ (નોકર્મ) થી મારો આત્મા ત્રણે કાળ ભિન્ન છે અને ઉપયોગથી મારો આત્મા ત્રણેકાળ અનન્ય-અભિન્ન છે, એવો સ્વ અને પરના વિભાગનો વિચાર કરવો, તેનું નામ વ્યવહાર છે. અભેદનો અનુભવ કરવો એ તો નિશ્ચય છે. પણ અભેદ સુધી ન પહોંચી શકે, તો આટલો વ્યવહાર મુમુક્ષુને હોય છે કે ભેદજ્ઞાનનો વિચાર વારંવાર કરે છે, હું અકર્તા છું, કર્તા નથી. “જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી. અહા ! પરને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન છે ને મને જાણનારું આત્મજ્ઞાન છે એમ વારંવાર ભેદજ્ઞાનનો વિચાર કરવો-માનસિક વિચાર તે વ્યવહાર છે બંધનું કારણ છે. શું કહ્યું? ઇ વ્યવહાર કહ્યો એમાં મીઠું લાગ્યું! પછી કહ્યું “એ પણ બંધનું કારણ (છે).' (કારણ કે તે) વિકલ્પ છે ને! રાગ છે ને! ઇન્દ્રિયજ્ઞાન છે ને! કષાયની મંદતા છે ને! કષાયનો અભાવ ક્યાં છે એમાં? (નથી.) આ ભેદજ્ઞાનનો શબ્દ આવ્યો ને, તેના ઉપરથી વિચાર આવ્યો. આત્માએ ભેદજ્ઞાનરૂપી જળથી તે મિથ્યા માન્યતારૂપી અશુચિને ધોઇ નાખી છે, એટલે ભેદજ્ઞાન કરી-અભેદ આત્માનો અનુભવ, તેનું નામ ભેદજ્ઞાન છે. જેટલા સિદ્ધ થયા આજ સુધી તે બધા ભેદવિજ્ઞાનથી થયા છે. (સ. સાર કળશ ૧૩૧) શ્લોક આવે છે ને! भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्यैवाभवतो बद्धा बद्धा ये किल केचन।।१३१ ।। તે જ આત્મા શૌચધર્મ છે. રાગથી-રાગનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરવું! છ દ્રવ્યનું લક્ષ છોડીને, આત્માનું લક્ષ કરવું. નવ તત્ત્વના ભેદનું લક્ષ છોડીને, આત્માનું લક્ષ કરવું. દેવ-ગુરુ-શાસ્ત્રનું લક્ષ છોડીને, આત્માનું લક્ષ કરવું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy