________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન જાણનાર જે ભાવ ઇન્દ્રિય એ પણ સ્થળ છે, હવે એક ગુણ અને દ્રવ્ય એ સૂક્ષ્મ છે. જેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એના જે ગુણો ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, વર્તના-હેતુત્વ આવે ને! એના ગુણો કહેવાય, ગુણો-ધર્મો એ મનનો વિષય છે. બહાર પદાર્થો જે છે એ દ્રવ્યરૂપે પણ છે અને એના ગુણો પ્રગટપર્યાય પ્રગટ થાય છે-પર્યાયને (પણ) ગુણ કહેવાય. તો કહે છે કે એ ગુણ તને એમ નથી કહેતું કે “તું મને જાણ” એ ધર્માસ્તિકાય એમ નથી કહેતું કે “તું મને જાણ”, અધર્મદ્રવ્ય એમ નથી કહેતું કે “તું મને જાણ” આહા! અરે ! અનંતા સિદ્ધો એમ કહેતા નથી કે “તું મને જાણ ” આ હજી બહારની વાત ચાલે છે, અરિહંત પરમાત્મા એમ કહેતા નથી કે “તું મને જાણ આહાહા ! અપૂર્વ વાત છે! આ તો પરથી ખસીને, સ્વમાં આવે એવી વાત ચાલે છે. તો....બધો વ્યવહારનો લોપ થઈ જશે, વ્યવહારનો લોપ થશે તો...
નિશ્ચય પ્રગટ થશે, અનુભવ થશે તને! એમાં શું વાંધો આવ્યો! તું તો એવો છો નહીં! આહાહા! તને શું તકલીફ પડી? કે બધું જાણવાનું છોડી દેશો? બધું જાણવાનું છૂટશે, તો એક જણાઈ જશે! એ તો કહેવું છે અમારે, અમારે શું કહેવું છે ! “બધું જાણવાનું છૂટી જશે તો એક જણાઈ જશે!!
આહાહા! ભાઈ ખુશી થાય છે, આત્મા છે ને! પોતાના ઘરની વાત છે આ. એ કારખાનાને જોવાનું છોડી દે, મારા જ્ઞાનનું ઝેય નથી. મારા જ્ઞાનનું ઝેય તો આત્મા છે! તો... કારખાનું જ્ઞાનમાંથી–દષ્ટિમાંથી છૂટી જશે, એનો તો લોપ થઈ જશે! તો આત્માનો ઉદય થઈ જશે !
(લક્ષમાંથી ) લોપ થશે એટલે એનો અભાવ નહીં થાય, કોઈએ બીવાનું નહીં આહા...હ! એનું લક્ષ છૂટી જાય છે. કારખાનાનો અભાવ નથી થતો-એ બન્ને મિત્રો છે બેયને કારખાના છે! અરે! ભગવાન (એ) મારા જ્ઞાનનું શેય નથી.
એ કારખાનાં તો તમારાં નથી, એનો સ્વામી તો પુદ્ગલ છે, ચેતન-પરમાત્મા એનો સ્વામી થઈ શકે નહીં પણ (એ) મારા જ્ઞાનનું ય પણ ન હોય ! મારા જ્ઞાનનું જ્ઞય તો ભગવાન આત્મા છે-નિજ પરમાત્મા દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી, ત્યારે દેખાશે આત્મા! બીજું દેખાય છે ને બીજાને દેખું છું એવો જ્યાં સુધી અભિપ્રાય છે, રુચિ છે ત્યાં સુધી ઉપયોગ ” બહાર ભટકશે, ઉપયોગ અંદરમાં આવશે નહીં
આહા ! એ ગુણ, ગુણ અરિહંતના આટલા ગુણ અને સિદ્ધના આટલા ગુણ એ મારા જ્ઞાનનો વિષય નથી. અરિહંતના ગુણ ને સિદ્ધના ગુણ ન જાણવાં? એને જાણીશ તો આત્માને ક્યારે જાણીશ? તને જાણવામાં આવશે? ત્યાં (બીજાને જાણવા) રોકાઈ જાય તો આત્મા કે દિ' જાણવામાં આવશે? ત્યારે એ છે ખરું કે નહીં? કે, હા છે, એ મનનો વિષય છે, મારો વિષય નથી. મન ઉપર છોડી દે ને! મન એને જાણ્યા કરશે, હું મને જાણ્યા કરીશ! એ પણ થોડો ટાઈમ મન રહેવાનું છે, પછી મનનો પણ અભાવ થઈને કેવળજ્ઞાન થઈ જશે !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com