SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७ પ્રવચન નં. - ૩ થાય એવી વાતો સંતો તને કરે છે. ઘડિયાળ બોલી ગઈ દશ. મારી ઘડિયાળ વહેલી છે એટલે બે-ત્રણ મિનિટ ચલાવું છું. કાલે આ કળશ (ગાથા) પૂરો ન થયો અને આજે ય કળશ (ગાથા) પૂરી ન થઈ. અમૃતના કળશ છે, એક એક ગાથામાં અમૃત ભર્યા છે. આહા! અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય, એવા ઉપાય આમાં બતાવતા ગયા છે. આહા ! આમાં પણ.... “પોતાનાં સ્થાનથી છૂટીને ” એટલે પોતાને જાણવાનું છોડીને, ઉપયોગથી આત્મા અનન્ય છે એટલે ઉપયોગમાં આત્મા જણાયા કરે છે, એ ઉપયોગમાં આત્મા જાણવાના બદલે, એ ઉપયોગ પરને જાણવા જાય, એ ઉપયોગનો સ્વભાવ જ નથી! આત્માને જાણવાનું છોડે નહીં ને પરને જાણવા જાય નહીં, એનું “શેય” તો “એક જ છે “જ્ઞાયક'! ઉપયોગનું જોય તો, “એકલું સામાન્ય (દ્રવ્ય) છે. જે સામાન્યનું વિશેષ છે તે જ વિશેષનું સામાન્ય છે (એટલે) જે સામાન્યનું વિશેષ છે ઉપયોગ, તે જ વિશેષનો વિષય સામાન્ય (દ્રવ્ય-ધ્રુવ) છે. બીજો, પદાર્થ (પર્યાય) નથી એમ. એમ જાણીને તું જાણનારને જાણી લે ને ! “જાણનાર જણાય છે” ના પક્ષમાં આવી જા. અરે ! (સ્વ) જ્ઞાતાના પક્ષમાં આવી જા, તો તને જ્ઞાતાનાં દર્શન થશે જ. “હું તો જાણનાર છું ને જાણનાર જ જણાય છે” સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકાર છે. છેલ્લે છેલ્લે, હવે બધું (અભેદ) કહેતા જાય છે! કુંદકુંદ ભગવાનની વાણી અફર છે. અને મોક્ષ તારી પાસે જ છે પરથી કાંઈ થવાનું નથી. આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને! “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભિરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે. અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. (દ્ર.દ. જિ, ૫. ટે. વિ. બોલ ૮૫૦) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy