________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૩૬
છે. દશ્ ય ધર્મોમાં વીતરાગ ભાવ એક જ પ્રકારનો છે. દશેય ધર્મોમાં વીતરાગભાવનો પ્રકાર એક જ છે. પણ વીતરાગભાવ થયા પહેલાં, પૂર્વપર્યાયમાં ક્ષમાદિ જે શુભભાવ હતો ને! શુભભાવની ક્ષમા, જે જાતનો વિકલ્પ હોય તે અનુસાર ઉત્તમક્ષમા આદિ વગેરે નામથી વીતરાગીપર્યાયને ઓળખવામાં આવે છે.
(જેમ) પૂર્વે ક્ષમાનો ભાવ હતો, તેનો અભાવ થઈને વીતરાગી પર્યાય પ્રગટ થઈ તો તેને ‘ઉત્તમ ક્ષમા ’ કહેવામાં આવે છે અને તે શુભ વિકલ્પને ઉપચારથી ઉત્તમ ક્ષમા આદિ ધર્મ કહેવામાં આવે છે. આચાર્યે આ પ્રમાણે ઉત્તમઆર્જવ ધર્મનું વર્ણન, આ પ્રકારે કર્યું છે. આ ગુરુદેવનાં વ્યાખ્યાન છપાઈ ગયાં છે, દશ લક્ષણ ઉપરનાં, બહુ અદ્દભુત છે. તેની લ્હાણી કરવા જેવી છે એવા વ્યાખ્યાન છે ‘દશધર્મપર્વ ’ ઉપરનાં.
હવે, ચારિત્રદશા પ્રગટ થવાની વાત, મુનિરાજની દશધર્મની કરી. મુખ્યપણે તો એ દશ લક્ષણો જે છે એ ધર્મો છે તે મુનિરાજની દશાની વાત છે. ચારિત્ર (દશા) ના ભેદ છે, તેમ કાલે આવી ગયું. જઘન્યપણે તો પંચમગુણસ્થાને અને ચોથા ગુણસ્થાનવર્તીને પણ અંશે ક્ષમા આદિ દશધર્મ પ્રગટ થઈ ગયા છે. એને વીતરાગી દશા છે પર્યાયમાં, અનંતાનુબંધી કષાયના અભાવપૂર્વક અંશે સ્થિરતા વીતરાગી પર્યાય છે, તો એમાં દશેય ધર્મો સમાઈ જાય છે, પણ છે જઘન્ય ! શ્રાવકને મધ્યમ અને મુનિરાજને ઉત્કૃષ્ટ (પણે ) ધર્મ હોય છે.
હવે, (સાચા ) ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યદર્શન વગર કોઈ કાળે, કોઈ પણ જીવને, ચારિત્ર એટલે (સ્વરૂપમાં) લીનતાનાં પરિણામ, પ્રગટ થતા નથી, એ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય ? તે વાત (આ) દશ ગાથામાં કહે છે. (૩૭૩ થી ૩૮૨ )
અનાદિ કાળથી જીવની ‘બે જ' ભૂલ છે, બે જ!–એ ભૂલનો પેટા વિસ્તાર કરો, તો શાસ્ત્રો ભરાય. પણ એને સંક્ષેપવામાં આવે તો, સમ્યગ્દર્શન ન થવાનું કારણ, (આ) બે ભૂલ છે. એમાં આ દશ ગાથામાં બીજા નંબરની ભૂલનું વ્યાખ્યાન છે.
પહેલા નંબરની ભૂલ, ‘કર્તાકર્મ અધિકાર' (સ. સાર) માં (આચાર્યદેવ ) બતાવી ગયા. બે ભૂલ કઈ ? એક તો...રાગાદિ પરિણામ (આસ્રવ ) થાય તે! · થવા યોગ્ય થાય છે, આત્મા કરે છે માટે થાય છે એમ છે નહીં ’-ત્યારે શું આત્મા રાગને કરતો નથી ?
"
આત્મા જ્ઞાનને કરે કે રાગને કરે! આહા....! આત્મા તો જ્ઞાનને કરતો પરિણમે છે. અનાદિથી પોતાને જાણવારૂપ પરિણમે છે બાળ-ગોપાળ સૌને ! એને ભૂલીને, દષ્ટિ રાગ ઉ૫૨ હોવાથી-રાગનો પ્રતિભાસ દેખીને, હું રાગને કરું છું એમ અનાદિ કાળથી, અજ્ઞાન દશામાં, અજ્ઞાનીને રાગનું કર્તાપણું ભાસ્યું છે છતાં, અકર્તા તો...અકર્તાપણું છોડીને, કર્તા થતો નથી. વિશેષ અપેક્ષાએ કર્તા થાય છે, સામાન્ય અપેક્ષાએ અકર્તા રહીને !!
શું કહ્યું આ ? કે જીવતત્ત્વ સામાન્ય છે. બધાની પાસે સામાન્ય અને વિશેષ બે પડખાં છે. શરૂઆતમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com