________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૯
પ્રવચન નં. – ૧૪ ને? (ઉત્તર) નહીં, નહીં! કાં ખોટું માને ને કાં પાછો ફરે! (શ્રોતા ) કાં પાછો ફરે તો થાય! (ઉત્તર) અને કાં...કાં જવાબદાર વ્યક્તિ એ એને ખાનગીમાં કહેવું જોઈએ! કોઈ કહેનાર નહિ!! આહા! શું થાય ?...શું થાય ? પંચમકાળ છે ભાઈ ! આપણે આપણું કરીને ભાગી જાવ ! કાંઈ બીજો ઉપાય આમાં છે નહીં. સમજી ગ્યા? “કોઈ બીજો ઉપાય નથી ” તમારી પાસે ૧૧ ભાગ છે ગુરુદેવના (પ્રવચનોના) નવહજાર ટેપ (કેસેટ) છે. અહીંયાં મંદિરમાં વ્યવસ્થા બહુ સારી છે. ટેપ (કલેટ) લઈ આવો સાંભળીને બીજે ત્રીજે દિ' એ આપી આવો! (કેસેટ (લાયબ્રેરીમાં)
એ સિવાય પણ...ઘણા શ્રીમંતોએ આખા સેટના સેટ ઉતરાવી લીધા છે. આ ગામમાં ઓછા હશે. બાકી ઘણાંએ સેટ ઉતરાવી લીધા. એટલે..અને તમારી શક્તિ હોય તો ઉતરાવી લ્યો! દશહજાર રૂપિયાની અંદર એક સેટ ઉતરે છે. સારી કેસેટ હોય તો એ સોળહજાર થાય છે. આખો સેટ આવે છે પંદર-સોળ હજારમાં !
આહા...હા! દીકરા-દીકરીના લગ્ન થાય ત્યાં કેટલો ખર્ચ થાય? કે પાંચ લાખ! અને આ ટેઈપ ઉતારવી...આટલા બધા ખરચા સોળહજાર રૂપિયા !! બોલો! છે એને જિનવાણીની કિંમત કાંઈ? અહા..ખરેખર! ભવભીરુ થયો નથી મારું શું થશે? અહીથી આંખ મીંચાઈ જશે! ગુરુદેવ કહે છે: “કે જેવી રીતે એક તણખલું હોય તણખલું! અને વાવાઝોડું આવે, ઇ તણખલું આંહીથી ઊડ, ઈ ક્યાં જઈને પડ! એનો કોઈ પત્તો લાગે નહીં. એમ આંહીથી જીવ ચાલ્યો જાય, ક્યાં જઈને જન્મ? એનો કોઈ પત્તો લાગતો નથી.
માટે એનો એક જ ઉપાય છે. આપણે સાવધાન થવાનું છે વ્યક્તિગત ! બીજો કોઈ ઉપાય નથી. બાકી આ “પ્રતિભાસને“જાણવું’ એનો જે તફાવત ઘણા જીવોને આવવા મંડયો છે રાજકોટમાં અમને ખબર છે, એ જો તફાવત, એનો ખ્યાલમાં આવી જાય.કે પ્રતિભાસ માત્ર છે પ૨૫દાર્થનો, પરપદાર્થને “જાણતું નથી જ્ઞાન!
પ્રતિભાસ રહી જાય છે ને પરનું જાણવું બંધ થઈ જાય છે ને આત્માનું જાણવું ઉદય થાય છે ને અનુભવ થાય છે આત્માનો ! અહા! રાગનો “પ્રતિભાસ” થાય પણ રાગને જ્ઞાન “જાણતું નથી.
પ્રતિભાસ થાય તે જાણે નહીં? આ શું? પ્રતિભાસ ન થતો હોય તો તો ન જાણે (એ તો સમજી શકાય) પણ દુઃખનો પ્રતિભાસ થ્યો, દુઃખનો પ્રતિભાસ થ્યો છે ને માટે હું દુઃખને જાણું છું”
એ તારી ભૂલ છે! પ્રતિભાસ થવો એનો “સ્વભાવ છે ને એને “ન જાણવું” એ તારો સ્વભાવ છે.
(શ્રોતા) વાહ વાહ! આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું! (ઉત્તર) આત્માને જાણવું” એ સ્વભાવ છે તારો ! આહાહા! (તો સમજી ભાઈ !) પ્રતિભાસ બે ના છે. લક્ષ એકનું છે ! (આમાં અધ્યાત્મનું રહસ્ય છે )
સ્વ-પરપ્રકાશક સ્વભાવ નથી. એ ઉપચરિત સદભૂત વ્યવહાર છે. ચાર પ્રકારના વ્યવહારમાં બે પ્રકારના સભૂત વ્યવહાર છે! અનુપચરિત સભૂત વ્યવહાર-જ્ઞાન-આત્માને જાણે અથવા જ્ઞાન તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com