________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૫૪ અંદરમાં!! હું નથી જાણતો અહા! “હું એને જાણતો નથી' ઓલો અંશ તો કહે છે “હું મને જાણવાનું છોડતો નથી, મને જાણવાનું છોડું તો જ્ઞાન (સ્વરૂપ) રહેતું નથી અને જ્ઞાન રહે નહીં તો જીવ, જડ થઈ જાય !
ઉપયોગથી આત્મા ઉપયોગમય છે' આહા! જ્ઞાન-દર્શન ઉપયોગમયી આત્મા છે. આવું અમે તને કહીએ છીએ અને છતાં તું હજી પરને જાણું છું (માને છે) ! પણ પરને જાણનારો તો તને બતાવ્યો જુદો!
હવે, જાણનાર જણાય છે (એ અભિપ્રાયમાં) આવ ને ! કોણ જાણે છે પરને? કે: કર્ણગોચર એટલે કાનનો ઉઘાડ! જ્ઞાનનો ઉઘાડ જુદોને કાનનો ઉઘાડ જુદો ! (વ્યવહારથી તેને ) જ્ઞાનનો ઉઘાડ કહેવાય! (ખરેખર તો) જ્ઞાનનો ઉઘાડ (તેને કહેવાય છે, જેમાં આત્મા (ભગવાન) જણાય! કાનનો ઉઘાડ પરની પ્રસિદ્ધ કરે છે સ્વની પ્રસિદ્ધ કરતું નથી !!
જિજ્ઞાસા:- સમ્યગ્દષ્ટિને ખંડજ્ઞાન અને અખંડજ્ઞાન અને એક સાથે હોય? ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિને અખંડની દૃષ્ટિ છે તેમ ખંડજ્ઞાન શેય રૂપે છે, એક જ્ઞાન પર્યાયના બે ભાગ છે. જેટલું સ્વલક્ષી જ્ઞાન છે તે સુખરૂપ છે. જેટલું પરલક્ષી, પરસત્તાવલંબી જ્ઞાન છે, તે દુ:ખરૂપ છે પ૨ તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન છે પરશેય છે. પર દ્રવ્ય છે. આહાહા! દેવ-ગુરુ તો પરદ્રવ્ય છે, પણ ઈન્દ્રિયજ્ઞાન પણ પરદ્રવ્ય છે. આત્માનું જ્ઞાન તે જ વાસ્તવિકજ્ઞાન છે.
(પૂ. ગુરુદેવશ્રી-પરમાગમ સાર બોલ નં ૪૮૧)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com