________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૨૮ ને? હવે એક ત્રીજો પ્રકાર રહ્યો !
એ અજ્ઞાનીમાં પણ સ્વ-પરપ્રકાશક છે. અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયમાં પણ સ્વપરપ્રકાશક લક્ષણ છે. અને એમાં કોઈ આવિર્ભાવ ને તિરોભાવ કરે તો જ્ઞાની થઈ જાય કાં મિથ્યાદષ્ટિ થઈ જાય !
અજ્ઞાની પાસે પણ જ્ઞાનની પર્યાયની સ્વચ્છતા એવી છે કે એમાં સ્વનો પ્રતિભાસ થાય છે ને પરનો પ્રતિભાસ થાય છે. સ્ત્રના પ્રતિભાસને જો ઉપયોગાત્મક કરી લ્ય, સામાન્યનો આવિર્ભાવ કરે, તો જ્ઞાની થઈ જાય! અને પરનો આવિર્ભાવ કરે, તો ઈ અજ્ઞાની થઈ જાય!
માટે....અજ્ઞાની પાસે પણ એવી જ્ઞપ્તિ સ્વ-પર પ્રકાશકની છે. એમ “પંચાસ્તિકાય” માં પાઠ છે.
એટલે સ્વ-પર પ્રકાશકના ત્રણ પ્રકાર ને સ્વપ્રકાશકનો એક પ્રકાર છે. એમાં ઉપાદેયની મુખ્યતા છે સ્વપ્રકાશકમાં! “લક્ષ” ની પ્રધાનતા છે. અને ત્રણે ય પ્રકારના સ્વપરપ્રકાશકમાં જાણવાની મુખ્યતા છે. આહા...હા! સમજાણું કાંઈ ? (શ્રોતાઃ) કાલ વિસ્તારથી લે જો ભાઈ ! (ઉત્તર) કાલ? ભલે, ભલે! એમ કોઈ માગણી કરે (તત્ત્વની) તો મને મજા આવે! ને!
જ્ઞાનની પર્યાયમાં પરપ્રકાશક (માત્ર) બીજાને શેય બનાવ્યો, તો એ તો મિથ્યાત્વ ભાવ છે. અહહા! રાગને પોતાનો માનવો અને રાગથી દયા-ધનથી ધર્મ માનવો એ તો મિથ્યાત્વ છે. પણ એ પરને જાણવું જ્ઞાનની પર્યાયમાં એકલા પરને જાણવો અર્થાત્ એકલું પરપ્રકાશકપણું એ જ્ઞાન નથી. એ મિથ્યાજ્ઞાન છે. સ્વપ્રકાશક છોડીને એકલો પરપ્રકાશકમાં રહ્યો તેથી એ મિથ્યાજ્ઞાન છે. આહાહા ! બહુ ઝીણી વાત બાપા! એ પરપ્રકાશકપણું પણ છોડીને વર્તમાન જ્ઞાનમાં સ્વ સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથને શેય બનાવીને એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. બાકી વાતો છે. થોથાં છે.
(પ્રવચન નવનીત ભાગ-૧ પેજ નં-૨૫૨) :
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com