________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૯
પ્રવચન નં. - ૭ અમે કહીએ છીએ છતાં હે! મૂઢ જીવ, તું સમજતો નથી! એમ કહેશે. દશ ગાથા (૩૭૩ થી ૩૮ર) ની ટીકા ચાલે છે. ટીકાની ચાર-પાંચ લીટી ફરીથી (લઈએ !)
ટીકા:- પ્રથમ દષ્ટાંત કહે છે. આ જગતમાં બાહ્યપદાર્થ-ઘટપટાદિ, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં ( અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ” અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચુત થઈ તેને (બાહ્યપદાર્થને) પ્રકાશવા જતો નથી;
આહા ! પ્રથમ દષ્ટાંત કહે છે “આ જગતમાં બાહ્યપદાર્થ ઘટ-પટ આદિ–છ દ્રવ્ય આવી ગયા! એમાં. “જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ”—એવો એક દષ્ટાંત આપ્યો! આવું તો જગતમાં દેખાય છે, પણ જગતમાં જેવું દેખાય છે, તેવું આત્મામાં છે નહીં એમ. જગતમાં જેવું તને દેખાય છે, એવી આત્માની સ્થિતિ છે નહીં. જો કે “તેમ દીવાને સ્વપ્રકાશનમાં” દીવાનો દષ્ટાંત આપ્યો, દીવાનો! અહાહા ! તેમ દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત્ “બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી” ઘડો, દીવાને એમ કહેતો નથી કે “તું મને પ્રકાશ' આહાહા...હા ! એ કહેતો જ નથી ઘડો, કે તું મને પ્રકાશ !
એક સાઈડ (બાજુ) સામેની સાઈડથી (બાજુએ) થી કહ્યું. હવે, દીવાની સાઈડથી વાત કરે છે કે તે દીવો પણ “જેમ લોહચુંબક-પાષાણ તરફ ખેંચાયેલી લોખંડની સોય” એવો તો બનાવ દેખાય છે કે લોખંડની સોય, લોહચુંબક-પાષાણ-પથ્થર હોય તો એની તરફ ખેંચાઈને જાય છે, એવું તો બને છે, પણ...અહીંયા એવું બનતું નથી કે જ્ઞાન આત્માથી છૂટીને–દીવાનો પ્રકાશ (દીવાથી) છૂટીને ઘટને પ્રકાશવા જાય, એમ કોઈ કાળે બનતું નથી' આટલું આવ્યું હતું ને!
(હવે) બે લીટી જરા સૂક્ષ્મ છે!
પરંતુ, વસ્તુ-સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી,”
પરંતુ વસ્તુસ્વભાવ એટલે દીવાનો, દીવો વસ્તુ છે ને એનો જે સ્વભાવ પ્રકાશ છે. અને એ જે પ્રકાશ થાય છે એ દીવાથી થાય છે, જે પ્રકાશ નામની જે પર્યાય છે તે દીવા નામના દ્રવ્યનું જ વિશેષ કાર્ય છે. એ પ્રકાશ, ઘડાનું કાર્ય નથી. ઘડો કર્તા થાય અને દીવાનો પ્રકાશ, ઘડાનું કાર્ય થઈ જાય એમ ત્રણકાળે બનવાનું નથી.
ઘડાના સદ્ભાવમાં કે ઘડાના અભાવમાં, પ્રકાશ તો દીવાથી જ થઈ રહ્યો છે અને જેનાથી પ્રકાશ થાય એ પ્રકાશ એને જ પ્રસિદ્ધ કરે, જેનાથી ન થાય (એને પ્રસિદ્ધ ન કરે) ઘડાથી તો, એ દીવાનો પ્રકાશ પ્રસિદ્ધ કરી શકાતો નથી.
ઘડાથી પ્રકાશ થતો હોય, તો તો બરાબર છે. (શું થાય) તો? તો પ્રકાશ પરાધીન થઈ જાય! તો (જ્યારે) ઘડો ઉઠાવી લેવામાં આવે તો પ્રકાશનો નાશ થઈ જાય. (ખરેખર) પ્રકાશ ઘડાથી નથી, પ્રકાશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com