________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એવા જીવની અહીં વાત નથી. આ વાત સમજે તેને એવો સ્વછંદ રહે જ નહિ, તેની તો દષ્ટિનું આખું પરિણમન પલટી જાય.
[૧૬૦] જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિની જ મુખ્યતા.
દ્રવ્યદષ્ટિ વગર ક્રમબધ્ધપર્યાયનો નિર્ણય બનતો નથી; કેમ કે ક્રમબદ્ધપણું સમય સમયની પર્યાયમાં છે, અને છદ્મસ્થનો ઉપયોગ અસંખ્ય સમયનો છે, તે અસંખ્ય સમયના ઉપયોગમાં એકેક સમયની પર્યાય જુદી પાડીને પકડી શકાતી નથી, પણ ધ્રુવજ્ઞાયકસ્વભાવમાં ઉપયોગ એકાગ્ર થઈ શકે છે. તેથી સમય સમયની પર્યાયનું ક્રમબદ્ધપણું પકડવા જતાં, ઉપયોગ અંતરમાં વળીને ધ્રુવજ્ઞાયક સ્વભાવમાં એકાગ્ર થાય છે, ને જ્ઞાયકની પ્રતીતમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ થઈ જાય છે. આ રીતે આમાં જ્ઞાયક સ્વભાવની દષ્ટિ જ મુખ્ય છે.
[૧૬૧] જેવું વસ્તુસ્વરૂપ, તેવું જ જ્ઞાન અને તેવી વાણી.
જુઓ, આ વસ્તુસ્વરૂપ! પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવું જ જ્ઞાન જાણે, તો તે જ્ઞાન સાચું થાય. બધા પદાર્થોની ત્રણેકાળની પર્યાયો ક્રમબદ્ધ છે એવું જ વસ્તુસ્વરૂપ છે, સર્વજ્ઞભગવાને કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ એ પ્રમાણે જાણ્યું છે અને વાણીમાં પણ તેમજ કહ્યું છે; એ રીતે પદાર્થ, જ્ઞાન અને વાણી ત્રણે સરખાં છે. પદાર્થોનો જેવો સ્વભાવ છે તેવો જ જ્ઞાનમાં જોયો, અને જેવો જ્ઞાનમાં જોયો તેવો જ વાણીમાં આવ્યો; એવા વસ્તુસ્વરૂપથી જે વિપરીત માને છે, –આત્મા ક્ત થઈને પરની પર્યાયને ફેરવી શકે એમ માને છે, તે પદાર્થના સ્વભાવને જાણતો નથી, સર્વજ્ઞના કેવળજ્ઞાનને જાણતો નથી ને સર્વજ્ઞના કહેલા આગમને પણ તે જાણતો નથી, એટલે દેવ-ગુરુ-શાસ્ત્રને તેણે ખરેખર માન્યા નથી.
આ “ક્રમબદ્ધપર્યાય' બાબતમાં અત્યારે ઘણા જીવોને નિર્ણય નથી, અને બહુ ગોટા ચાલે છે તેથી અહીં ઘણા ઘણા પ્રકારથી તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
[૧૬] સ્વછંદીના મનનો મેલ : નંબર ૧.
પ્રશ્ન-સર્વજ્ઞ ભગવાને જોયું હશે તેમ ક્રમબદ્ધ થશે એમ આપ કહો છો, તો પછી અમારી પર્યાયમાં મિથ્યાત્વ પણ ક્રમબદ્ધ થવાનું હશે તે થશે!
ઉત્તર-અરે મૂઢ ! તારે સર્વજ્ઞને માનવા નથી ને સ્વછંદ પોષવો છે!—કાઢી નાંખ તારા મનનો મેલ !! સર્વજ્ઞનો નિર્ણય કરે અને વળી મિથ્યાત્વ પણ રહે એ કયાંથી લાવ્યો? તે સર્વજ્ઞનો નિર્ણય જ કર્યો નથી. માટે અંતરનો મેલ કાઢી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com