SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬O સમ્યગ્દર્શન થયું, ત્યાં તે પર્યાય સાથે આત્મા પોતે એકમેક છે તેથી આત્મા તેનો ર્તા છે, પણ અજીવ તેમાં એકમેક નથી માટે તે અર્ધા છે. એ પ્રમાણે સમ્યજ્ઞાન, સુખ, આનંદ, સિદ્ધદશા વગેરે બધી અવસ્થાઓમાં સમજી લેવું. તે તે અવસ્થાપણે ઊપજતો થકો જીવ જ તેમાં તતૂપ થઈને તેનો ર્જા છે, તે અજીવ નથી એટલે અજીવ સાથે તેને કાર્યકારકપણું નથી. [૧૧૭] જ્ઞાતા રામાનો અર્તા. અહીં તો આચાર્યદેવ એ સિધ્ધાંત સમજાવે છે કે જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈને જ જીવ જ્ઞાતાપરિણામપણે ઊપજ્યો તે જીવ રાગનો પણ અક્ત છે; પોતાના જ્ઞાતા પરિણામમાં તન્મય હોવાથી તેનો છે, તે રાગનો અર્જા છે, કેમકે રાગમાં તન્મય નથી. શાકભાવમાં જે તન્મય થયો તે રાગમાં તન્મય થતો નથી, માટે તે રાગનો અક્ત જ છે. –આવા જ્ઞાતાસ્વભાવને જાણવો તે નિશ્ચય છે. સ્વસમ્મુખ થઈને આવું નિશ્ચયનું જ્ઞાન કરે તો, કઈ પર્યાયમાં કેવો રાગ હોય ને ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કેવા પ્રકારનો હોય, -તે બધા વ્યવહારનો પણ યથાર્થ વિવેક થઈ જાય. [૧૧૮] નિશ્ચય-વ્યવહારની જરૂરી ખુલાસો. ઘણા લોકો કહે છે કે આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહારે તો જીવ જડકર્મનો ક્ત છે! તો આચાર્યદવ કહે છે કે અરે ભાઈ ! જેની દષ્ટિ જ્ઞાયક ઉપર નથી ને કર્મ ઉપર છે એવા અજ્ઞાનીને જ કર્મના ર્તાપણાનો વ્યવહાર લાગુ પડે છે, જ્ઞાયકદષ્ટિવાળા જ્ઞાનીને તેવો વ્યવહાર લાગુ પડતો નથી. જ્ઞાયકdભાવી જીવ મિથ્યાત્વાદિ કર્મનો અર્તા હોવા છતાં તેને કર્મનો ર્તા કહેવો તે વ્યવહાર છે, અને તે વ્યવહાર અજ્ઞાનીને જ લાગુ પડે છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિવાળો જ્ઞાની તો અર્જા જ છે. સોનાની જે અવસ્થા થઈ તેનો સોની અર્ધા છે, છતાં તેને નિમિત્ત ર્તા કહેવો તે વ્યવહાર છે. જે ક્ત છે તેને ક્ત જાણવો તે નિશ્ચય, અને અર્જાને ર્તા કહેવો તે વ્યવહાર છે. જીવ પોતાની ક્રમબદ્ધ અવસ્થાપણે ઊપજતો થકો જીવ જ છે, ને અજીવ પોતાની ક્રમબદ્ધ અવસ્થાપણે ઊપજતું થયું અજીવ જ છે. જીવ તે અજીવની અવસ્થાનો અર્જા છે, ને અજીવ તે જીવની અવસ્થાનું અર્ધા છે. આ રીતે જેમ જીવ અજીવને પરસ્પર ર્તાપણું નથી તેમ તેમને પરસ્પર કર્મપણું, કરણપણું, સંપ્રદાનપણું, અપાદાનપણું કે અધિકરણપણું પણ નથી. માત્ર નિમિત્તપણાથી તેમને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy