SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯ “અર્ધા'ને વળી પાછો “કરે” એ વાત કયાંથી લાવ્યો? અહીં તો એમ કહેવાય છે કે-જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરના ર્તા નથી, પરનાં કામ કોઈ કરી શક્તો જ નથી. દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેમાં બીજાનું ર્તાપણું છે જ નહિ. ર્તાપણું જોનાર પોતાના જ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ થઈને જુએ છે એટલે ઊંધું દેખે છે; જ્ઞાયક રહીને દેખે તો ર્તાપણું ન માને. વસ્તુસ્વરૂપ તો જેમ છે તેમજ રહે છે, અજ્ઞાની ઊંધું માને તેથી કાંઈ વસ્તુસ્વરૂપ અન્યથા થઈ જતું નથી. [ ૮૭] જો કુંભાર ઘડાને કરે તો.. જીવ ને અજીવ બધાંય દ્રવ્યો પોતપોતાની પર્યાયપણે સ્વયં ઊપજે છે. અજીવનો એકેક પરમાણુ પણ તેની કમબદ્ધ અવસ્થાપણે સ્વયં ઊપજે છે; તેની વર્ણ-ગંધ વગેરે રૂપ અર્થપર્યાય પણ ક્રમબદ્ધ તેનાથી છે, ને ઘડો વગેરેના આકારરૂપ વ્યંજનપર્યાય પણ ક્રમબદ્ધ તેનાથી જ છે. માટી ઘડારૂપે ઊપજી ત્યાં તેની વ્યંજનપર્યાય (આકાર) કુંભારે કરી–એમ નથી. ઘડાપણે માટી પોતે ઊપજી છે ને માટી જ તેમાં વ્યાપી છે, કુંભાર નહીં, માટે કુંભાર તેનો ર્તા નથી. “નિમિત્ત વિના ન થાય—એ વાતનું અહીં કામ નથી. અહીં તો કહે છે કે દરેક દ્રવ્ય પોતાના પરિણામ સાથે તદ્રુપ-તન્મય છે. જીવ જ અજીવની અવસ્થાને કરે (-જેમ કે કુંભાર ઘડાને કરે) તો અજીવની અવસ્થા સાથે તદ્રુપપણું થતાં તે પોતે પણ અજીવ બની જશે! જો નિમિત્ત પ્રમાણે કાર્ય થતું હોય તો અજીવના નિમિત્તે આત્મા પણ અજીવ થઈ જશે, ઇત્યાદિ અનેક દોષ આવી પડશે. [ ૮૮] “યોગ્યતા કયારે માની કહેવાય? પ્રશ્ન-એક પ્યાલામાં પાણી ભર્યું છે, પાસે અનેક જાતના લાલ-લીલા રંગ પડયા છે, તેમાંથી જેવો રંગ લઈને પાણીમાં નાંખશો તેવા રંગનું પાણી થઈ જશે. તેનામાં યોગ્યતા તો બધી જાતની છે, પણ જે રંગનું નિમિત્ત આપશો તે જ રંગનું તે થશે. માટે નિમિત્ત પ્રમાણે કાર્ય થાય છે! ભલે થાય છે તેની યોગ્યતાથી, પણ જેવું નિમિત્ત આવે તેવું થાય! ઉત્તર:-અરે ભાઈ ! તારી બધી વાત ઊંધી છે. યોગ્યતા કહેવી, ને વળી નિમિત્ત આવે તેવું થાય-એમ કહેવું, એ વાત વિરુદ્ધ છે. નિમિત્ત આવે તેવું થાય એમ માનનારે યોગ્યતા માની જ નથી એટલે કે વસ્તુના સ્વભાવને માન્યો જ નથી. પાણીના પરમાણુઓમાં જે સમયે જેવી લીલા કે લાલ રંગરૂપ થવાની યોગ્યતા છે તે જ રંગરૂપે તે પરમાણુઓ સ્વયં ઊપજે છે, બીજો નિમિત્ત લાવી શકે કે તેમાં ફેરફાર કરી શકે એમ નથી. અરે ! રંગના પરમાણુ જુદા ને પાણીના પરમાણું પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy