SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હું તેનો કે ફેરવનાર નથી, હું તો જ્ઞાયક છું-એવી પ્રતીત થતાં સ્વછંદ છૂટીને સ્વતંત્રતાનું અપૂર્વ ભાન થાય છે. આ ક્રમબદ્ધપર્યાયની સમજણ તે ભયનું સ્થાન નથી, ભય તો મૂર્ખાઈ અને અજ્ઞાનમાં હોય, આ તો ભયના ને સ્વછંદના નાશનું કારણ છે. [૮] “જ્ઞાયકપણું” તે જ આત્માનો પરમસ્વભાવ છે. આત્મા જ્ઞાયક વસ્તુ છે, જ્ઞાન જ તેનો પરમસ્વભાવ ભાવ છે. “જ્ઞાયકપણું” આત્માનો પરમભાવ છે, -તે સ્વપરના જ્ઞાતાપણા સિવાય બીજું શું કરે? જેમ “છે'ને જેમ થાય છે” તેનો તે જાણનાર છે. દ્રવ્ય અને ગુણ તે ત્રિકાળ સને પર્યાય તે એકેક સમયનું સત, તે સત્નો આત્મા જાણનાર છે, પણ કોઈ પરનો ઉત્પન્ન કરનાર, નાશ કરનાર, કે તેમાં ફેરફાર કરનાર નથી. જો ઉત્પન્ન કરવાનું, નાશ કરવાનું કે ફેરફાર કરવાનું માને તો ત્યાં શાકભાવપણાની પ્રતીત રહેતી નથી. એટલે જ્ઞાનસ્વભાવને જે નથી માનતો ને પરમાં ફેરફાર કરવાનું માને છે તેને જ્ઞાયકપણું નથી રહેતું પણ મિથ્યાત્વ થઈ જાય છે. [૯] રોગચાળો' નહિ પણ વીતરાગનું કારણ. કેટલાક કહે છે કે “અત્યારે ક્રમબદ્ધપર્યાયનો રોગચાળો ફેલાયો છે.” અરે ભાઈ ! આ ક્રમબદ્ધપર્યાયની પ્રતીત તે તો વીતરાગતાનું કારણ છે. જે વીતરાગતાનું કારણ છે તેને તું રોગચાળો કહે છે? ક્રમબધ્ધપર્યાય ન માનો તો કાંઈ વસ્તુ જ રહેતી નથી. ક્રમબધ્ધપર્યાયપણું તે તો વસ્તુનું સ્વરૂપ છે તેને રોગચાળો કહેવો એ તો મહા વિપરીતતા છે. દ્રવ્ય સમયે સમયે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એવો તેનો ધર્મ છે, ક્રમબદ્ધપર્યાયમાં જે સમયે જે પર્યાયનો સ્વકાળ છે તે સમયે દ્રવ્ય તે જ પર્યાયને દ્રવે છેપ્રવહે છે એવો જ વસ્તુસ્વભાવ છે; ને પોતાનો જ્ઞાયક સ્વભાવ છે. આવા સ્વભાવને માનવો તે રોગચાળો નથી, પરંતુ આવા વસ્તુસ્વભાવને ન માનતાં ફેરફાર કરવાનું માનવું તે મિથ્યાત્વ છે ને મિથ્યાત્વ તે જ મોટો રોગચાળો છે. [૧૦] અમુક પર્યાયો ક્રમે ને અમુક પર્યાયો અજમે-એમ નથી. દરેક દ્રવ્યની ત્રણકાળની પર્યાયોમાં ક્રમબદ્ધપણું છે તેને જે ન માને તે સર્વજ્ઞતાને માનતો નથી, આત્માના જ્ઞાનસ્વભાવને માનતો નથી; કેમ કે આત્માના જ્ઞાનસ્વભાવની જો યથાર્થ પ્રતીતિ કરે તો તેમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ જરૂર આવી જાય છે. અહીં ક્રમબદ્ધપર્યાય કહેવાય છે તેમાં અનાદિ અનંત કાળની બધી પર્યાયો સમજી લેવી. દ્રવ્યની અમુક પર્યાયો ક્રમબદ્ધ થાય ને અમુક પર્યાયો અક્રમે થાય-એમ બે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy