________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૨૬
જિનપ્રતિમાના દર્શન વગેરેમાં તેને પોતાના શુભભાવ થતા હોવા તે વખતે આ શુભ છે' એમ આવવા છતાં, ઊંધી માન્યતાનું
6
મનાવે છે.
છતાં, અને જ્ઞાનમાં પણ જોર તે શુભને પણ પાપ
(૪) વળી એક ચોથો દાખલો લઈએઃ દયા, પૂજા કે વ્રત વગેરેનો ભાવ તે શુભરાગ છે, કાંઈ ધર્મ નથી; છતાં મિથ્યાદષ્ટિ તેને ધર્મ માને છે. તે શુભરાગ વખતે અજ્ઞાનીને પણ જ્ઞાનમાં તો એમ આવ્યું છે કે ‘આ રાગ થયો', પણ કાંઈ ધર્મ થયો–એમ જ્ઞાનમાં નથી આવ્યું, એટલે કે રાગ વખતે તે રાગનું જ જ્ઞાન થયું છે, છતાં ઊંધી દષ્ટિને લીધે રાગને તે ધર્મ માને છે. રાગથી ધર્મ માનનારને પોતાને પણ કાંઈ રાગથી ધર્મ થઈ જતો નથી, છતાં ઊંધી માન્યતાનું જોર તેને એ પ્રમાણે મનાવે છે.
–તે ઊંધી માન્યતા કેમ ટળે ?-એ વાત આચાર્યદેવ સમજાવે છે.
[૪૯] શાયક સન્મુખ થા ! -એ જ જૈનમાર્ગ છે.
હૈ ભાઈ ! એકવાર તું સ્વસન્મુખ થા, ને જ્ઞાયકસ્વભાવને પ્રતીતમાં લઈને શ્રદ્ધાજ્ઞાનને સાચા બનાવ, –તો તને બધું સવળું ભાસશે, ને તારી ઊંધી માન્યતા ટળી જશે. ઉપયોગને અંતરમાં વાળીને ‘હું શાયક છું’ એવું જ્યાં સુધી વેદન ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન થાય નહિ ને ઊંધી માન્યતા ટળે નહિ. બસ! જ્ઞાનને અંતરમાં વાળીને આત્મામાં એકાગ્ર કર્યું તેમાં આખો માર્ગ સમાઈ ગયો, આખું જૈનશાસન તેમાં આવી ગયું.
[૩]
પ્રવચન ત્રીજું
[વી૨ સં. ૨૪૮૦ આસો સુદ નોમ ]
[૫૦] સમ્યગ્દષ્ટિ-શાતા શું કરે છે?
‘સર્વવિશુદ્ધજ્ઞાન ’ કહો, કે અભેદપણે જ્ઞાનાત્મક શુદ્ધ દ્રવ્ય કહો તેનો આ અધિકાર છે. શુદ્ધ જ્ઞાયદ્રવ્યની દષ્ટિથી સમ્યજ્ઞાનીને જ્ઞાનમાં શું શું થાય છે તેનું આ વર્ણન છે. સમ્યગ્દર્શન અર્થાત્ શુદ્ધ આત્માનું જ્ઞાન થતાં જીવ શું કરે છે?-અથવા તો સમ્યગ્દષ્ટિ જ્ઞાનીનું શું કાર્ય છે? તે અહીં સમજાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com