SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૭૯ (૨૪૮) પ્રશ્ન:- જ્ઞાન પ્રાપ્તિનું ફળ તો રાગનો અભાવ થવો તે છે ને? ઉત્તર:- રાગનો અભાવ એટલે રાગથી ભિન્ન આત્માના અનુભવ પૂર્વક ભેદજ્ઞાન થયું છે તેમાં રાગના કર્તાપણાનો-સ્વામીપણાનો અભાવ થયો-રાગમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ તે રાગનો પહેલા નંબરનો અભાવ થયો. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩ (૨૪૯) પ્રશ્ન:- સમ્યગ્દર્શન સહિત નકવાસને પણ ભલો કહ્યો છે ને? નરકમાં સમ્યગ્દષ્ટિને આનંદની ગટાગટી છે ને? ઉત્ત૨:- એ તો સમ્યગ્દર્શનની અપેક્ષાએ કહ્યું છે પણ ત્યાં જેટલો કષાય છે એટલું દુ:ખ છે. ત્રણ કષાય છે એટલું દુ:ખ છે. મુનિને ઘાણીમાં પીલે, સળગાવે છતાં ત્રણ કષાય નથી એથી એને આનંદ હોય છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૨૫૦) પ્રશ્ન:- સમ્યક્ શ્રદ્ધા અને અનુભવમાં શું ફેર છે? ઉત્ત૨:- સમ્યક્ શ્રદ્ધાન-પ્રતીતિ ને શ્રદ્ધાગુણની પર્યાય છે ને અનુભવ તે ચારિત્ર ગુણની પર્યાય છે. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૨૫૧) પ્રશ્ન:- મિથ્યાત્વ-આસ્રવભાવને તોડવાનો વજદંડ શું? ઉત્તર:- ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવ છે તે વજદંડ છે. તેનો આશ્રય લેવાથી મિથ્યાત્વ-આસ્રવભાવ તૂટે છે. પહેલામાં પહેલું કર્તવ્ય રાગથી ભિન્ન પડીને જ્ઞાયકભાવની દૃષ્ટિ કરવી એ છે. એ કાર્ય કર્યા વિનાના વ્રતાદિ બધું થોથાં છે. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૩૦ (૨૫૨) પ્રશ્ન:- ઉપશમ સમ્યક્ થઈને છૂટી જાય ને મિથ્યાત્વમાં આવી જાય તેને ખ્યાલમાં આવે કે મને સમ્યક થયું હતું ? ઉત્ત૨:- હા, સમ્યક્ છૂટી જાય પછી થોડો વખત ખ્યાલમાં રહે, પછી લાંબો વખત થાય તો ભૂલી જાય. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy