SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાનઃ ૬૧ લખવાના લક્ષે રાગ થયો ત્યારે એવો વિકલ્પ થયો કે “હું બોલું, હું લખું' પરાશ્રિત રાગમાં એ પ્રમાણે વિકલ્પ ઊઠે છે, પણ જ્ઞાનમાં એવી માન્યતા નથી કે હું બોલી કે લખી શકું છું. આમાં તો એમ સિદ્ધ થાય છે કે રાગ તે આત્માનો સ્વભાવ નથી; જ્ઞાનીને જ્ઞાન અને વિકલ્પ બંને ભિન્ન ભિન્ન છે. -આત્મધર્મ અંક ૭૯, વૈશાખ ૨૪૭૬, પૃષ્ઠ ૧૨૮ (૧૯૪) પ્રશ્ન- ભેદજ્ઞાન ક્યાં સુધી ભાવવું? ઉત્તર- અચ્છિન્નધારાથી ભેદજ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય. પહેલાં પરથી ભિન્ન શુદ્ધાત્માની ભાવના કરતાં કરતાં જ્ઞાન જ્ઞાનમાં ઠરતાં રાગાદિથી ભિન્ન થઈને સમ્યજ્ઞાન થાય છે. ત્યાર પછી પણ પરથી ભિન્ન એવા શુદ્ધાત્માની સતત ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે. માટે, કેવળજ્ઞાન થતાં સુધી અચ્છિન્નધારાથી ભેદજ્ઞાન ભાવવું. આ ભેદજ્ઞાનની ભાવના તે રાગરૂપ નથી પણ શુદ્ધ આત્માના અનુભવરૂપ છે, એમ સમજવું -આત્મધર્મ અંક ૨૦૧, અષાડ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨ (૧૯૫) પ્રશ્ન- એક બાજુ કહે કે જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ છે. હવે શાસ્ત્ર તરફનું લક્ષ જાય છે તે શુભ રાગ હોવાથી બંધનું કારણ કહ્યું તો ભોગનો અશુભરાગ નિર્જરાનું કારણ કેમ હોય? ઉત્તર- જ્ઞાનીના જ્ઞાનનું માહાભ્ય બતાવવા ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે. સમયસારમાં કહે છે કે હું જ્ઞાની! તું પરદ્રવ્યના ભોગને ભોગવ. તેમ કહ્યું છે ત્યાં ભોગ ભોગવવાની પ્રેરણા નથી આપી પણ પરદ્રવ્યના કારણે બંધ થતો નથી તેમ બતાવવાનો આશય છે. શાસ્ત્રમાં જ્યાં જે અભિપ્રાયથી કહ્યું હોય ત્યાં તે જ અભિપ્રાયથી સમજવું. આ તો અલૌકિક વાત છે. -આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૭ (૧૯૬) પ્રશ્ન- સંયમલબ્ધિ સ્થાનને પુદ્ગલના પરિણામ કહ્યા છે તો તે સરાગ સંયમ લેવો કે વીતરાગ સંયમ? ઉત્તર-સંયમ સરાગ હોતો નથી; વીતરાગી સંયમ છે, શુદ્ધ પર્યાય છે પણ એ ભેદ પડે છે ને તેના ઉપર લક્ષ કરતાં રાગ થાય છે તેથી તેને પુદ્ગલના પરિણામ કહ્યાં છે. જીવ તો એકરૂપ અભેદ અખંડ છે તેમાં ભેદ પડતાં જેટલા પરિણામ જીવસ્થાન, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy