________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિવિધઃ ૨૧૩
(૬૫૧)
પ્રશ્ન:- શાસ્ત્રમાં મનુષ્યના શરીરમાં કેટલા રોગ હોવાનું કહ્યું છે?
ઉત્ત૨:- ભાવપાહુડ ગાથા ૩૭ માં કહ્યું છે કે આ મનુષ્યના શરીરમાં એક તસુમાં છન્નુ છન્નુ રોગ છે તો આખા શરીરમાં રોગ કેટલા? (એ હિસાબે આખા શરીરમાં પાંચ કરોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચસો ચોર્યાશી રોગ હોય છે) શરીર તો રોગની મૂર્તિ છે અને આત્મા આનંદનો સાગર છે. રોગથી ઘેરાઈ જાય ત્યારે ક્યાં જવું? અરે! અંદર આત્મા વજ્રનો કિલ્લો છે, જ્યાં રોગનો અને રાગનો પ્રવેશ નથી, એકલો આનંદ જ ભર્યો છે ત્યાં ઘૂસી જવું! આત્મા પરમ શરણ ને શાંતિનું ધામ છે.
કારણ ?
-આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૯-૩૦
(૬૫૨)
પ્રશ્ન:- આપ પ્રવચનસાર કરતાં સમયસારના બહુ વખાણ કરો છો તેનું શું
ઉત્ત૨:- પ્રવચનસારમાં જ્ઞાન પ્રધાન કથન છે, અને સમયસારમાં દૃષ્ટિ કરાવવાના પ્રયોજનનું કથન મુખ્ય છે. સમયસારમાં વિકારને પુદ્ગલના લક્ષે થતો હોવાથી અને તે જીવનો સ્વભાવભાવ ન હોવાથી તેની દષ્ટિ છોડાવી દ્રવ્યની દૃષ્ટિ કરાવવાનું કથન મુખ્ય છે અને દ્રવ્યદૃષ્ટિથી જ સમ્યગ્દર્શન ને મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૬૫૩)
પ્રશ્ન:- દર્શનમોહની એક પ્રકૃતિનું નામ સમ્યક્ત્વ-પ્રકૃતિ કેમ છે?
ઉત્ત૨:- કેમકે તેના ઉદયની સાથે સમ્યક્ત્વ પણ હોય છે, એટલે સમ્યક્ત્વની સહચારિણી હોવાથી તેનું નામ ‘સમ્યક્ત્વપ્રકૃતિ' પડયું. ક્ષાયોપશમિક સમ્યક્ત્વની સાથે તેનો ઉદય હોય છે.
-આત્મધર્મ અંક ૨૬૪, માર્ચ ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૩૦
(૬૫૪)
પ્રશ્ન:- સંખ્યા અપેક્ષાએ મોટામાં મોટું અનંત કોણ ?
ઉત્ત૨:- કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદ સૌથી મહાન અનંત છે. અલોકાકાશના પ્રદેશ વગેરે બીજા અનંત કરતાં તે અનંતગણું–એમ કહીને પણ તેનું માપ આપી શકાતું નથી. આત્મદ્રવ્યની આ કોઈ અચિંત્ય તાકાત છે. જેમ વિકલ્પથી તેની તાકાતનો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com