SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮: જ્ઞાનગોષ્ઠી (૬૩૬) પ્રશ્ન- સંસારનો થાક લાગવાનો ઉપાય શું? ઉત્તર:- સંસારમાં શુભાશુભ ભાવો છે તે દુઃખરૂપ છે, એના ફળમાં ચાર ગતિ મળે છે, તેમાં અનેક પ્રકારનાં દુઃખો ને આકુળતા છે એમ એને અંદરથી લાગવું જોઈએ. શુભાશુભભાવ દુ:ખરૂપ જ છે એમ લાગે તો સંસારનો થાક લાગે. -આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૩ (૬૩૭) પ્રશ્ન-શું શરીરના રોગ મટાડવાનું કાર્ય ધર્મનું નથી ? ઉત્તર:- શરીરના રોગ મટાડવાનું કાર્ય ધર્મનું નથી. પૂર્વનાં પુણ્ય હોય ત્યારે શરીર નીરોગી થાય છે; ધર્મના ફળથી શરીરનો રોગ મટે એમ માનનાર ધર્મના સ્વરૂપને સમજ્યો જ નથી; પુણ્ય શુભપરિણામથી થાય અને ધર્મ આત્માનો શુદ્ધસ્વભાવ પ્રગટ કરવાથી થાય, તેની તેને ખબર નથી. સનતકુમાર ચક્રવર્તીએ દીક્ષા લીધા બાદ તે મહાન ધર્માત્મા મુનિને ઘણાં વર્ષો સુધી શરીરમાં તીવ્ર રોગ રહ્યો, છતાં શરીર ઉપર ધર્મની અસર કંઈ પણ ન થઈ. ધર્મથી શરીર નીરોગી રહે તેમ નહિ, પણ ધર્મના ફળમાં તો આત્મામાં અપૂર્વ આનંદનો અનુભવ પ્રગટે, ને પુણ્ય અને શરીર વગેરેનો સંબંધ જ ન થાય. મોક્ષમાર્ગમાં પુણ્યનો પણ નિષેધ છે; તેને બદલે અત્યારે તો ધર્મના નામે લોકો ફાવે તેમ હાંકયે રાખે છે અને કહે છે કે પુણ્ય કરો, તેનાથી મનુષ્ય-દેવનાં શરીર મળશે અને પછી પરંપરાએ મોક્ષ થશે. આત્માની સમજણ કરવાની તો ક્યાંય વાત જ ન આવી. –આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, પૃષ્ઠ ૨૧૨ (૬૩૮) પ્રશ્ન- જો રાગનો આદર કરી લઈએ તો શું નુકશાન છે? આગમમાં રાગના આદરનો આટલો નિષેધ કેમ? ઉત્તર- રાગનો જ્યાં આદર છે ત્યાં વીતરાગસ્વભાવનો અનાદર છે, અને જ્યાં વીતરાગસ્વભાવનો અનાદર છે ત્યાં, તે વીતરાગસ્વભાવને પામેલા સર્વજ્ઞનો, તેને સાધનારા સાધુઓનો, તેમજ તેનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોનો પણ અનાદર તે ઊંધા અભિપ્રાયમાં સેવાઈ જાય છે. વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની આજ્ઞા તો વીતરાગભાવની જ પોષક છે, તેને બદલે જેણે પોતાના અભિપ્રાયમાં રાગનું પોષણ કર્યું તેણે ખરેખર વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. બહારથી ભલે વીતરાગના ભક્તિ-પૂજાબહુમાનનો શુભભાવ કરતો હોય પરંતુ અંતરમાં વીતરાગસ્વરૂપના અજ્ઞાનને લીધે તે પોતાના અભિપ્રાયમાં તો રાગનું જ સેવન ને રાગના જ ભક્તિ-પૂજા-બહુમાન કરી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy