________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬: જ્ઞાનગોષ્ઠી શુદ્ધ-અશુદ્ધ પર્યાય અંશો છે તે જાણવા લાયક છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૦
(૬૨૯) પ્રશ્ન- ધર્મ, અર્થ, કામ ને મોક્ષ તે દેવ આપે છે જેની પાસે જે હોય તે આપે તો તે કેવી રીતે?
ઉત્તર:- એ તો નિમિત્તથી વ્યવહારનું કથન છે, દેવ તરફના વલણવાળાને શુદ્ધતા પ્રગટે છે અને સાથે પુણ્ય બંધાય છે તેના ફળમાં કામ અને અર્થ મળે છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, ૩)
(૬૩૦) પ્રશ્ન- આ તો સારું ! ભગવાન પાસેથી બધું મળે છે?
ઉત્તરઃ- જેને કામ અને અર્થની સ્પૃહા છે, ભાવના છે તેને મળતું નથી પણ જેને આત્માના હિતની ભાવના છે તેને સાથે પુણ્ય બંધાય છે ને તેનું ફળ મળે છે એ વાત સમજાવી છે.
-આત્મધર્મ અંક ૭૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૬૩૧).
પ્રશ્ન:- વ્રત-તપ-ત્યાગ કરવાથી આત્માના ઉપરની છાલ-મેલ નીકળી જાય
છે ને ?
ઉત્તર:- ના, એ તો રાગ છે, એ વ્રત-તપ આદિના રાગને પોતાનો માનવો એ મિથ્યાત્વ છે; ગુન્હો છે, ભ્રમણ છે. –આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮
(૬૩૨). પ્રશ્ન:- સાધારણ જીવોને એ વ્રતાદિ કરવા તો ઠીક છે ને!
ઉત્તર:- સાધારણને પણ એ વ્રતાદિથી ધર્મ નથી, એનાથી જન્મ-મરણનો અંત આવતો નથી, તેમાં લાભ-બુદ્ધિથી જન્મ-મરણ વધે છે. ધર્મ તો એક માત્ર વીતરાગ ભાવ જ છે.
-આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮
(૬૩૩) પ્રશ્ન:- કઈ અપેક્ષાથી જ્ઞાન પણ બંધનું કારણ હોઈ શકે છે?
ઉત્તર- શાસ્ત્રજ્ઞાન તે પુણ્યબંધનું કારણ છે, સંસારનું જ્ઞાન તે પાપબંધનું કારણ છે અને આત્મજ્ઞાન તે ધર્મનું કારણ છે, શાસ્ત્રજ્ઞાન તે પુણ્યબંધનું કારણ છે પણ કયા શાસ્ત્ર ?-કે સર્વજ્ઞ કહેલાં શાસ્ત્રનું જ્ઞાન તે પુણ્યનું કારણ છે, અન્યના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com