SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૩૧ (૪૧૯) પ્રશ્ન- દ્રવ્ય-પર્યાયને જાદા સિદ્ધ કરવાનું શું પ્રયોજન છે? ઉત્તર:- ત્રિકાળી દ્રવ્ય અને પ્રગટ પર્યાય એ બન્ને ભિન્ન ભિન્ન ધર્મો અતિરૂપ છે તે બન્ને ધર્મોનું પરસ્પર ભિન્ન અસ્તિપણે સિદ્ધ કરવાનું પ્રયોજન છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૯ (૪૨૦) પ્રશ્ન- જ્ઞાનગુણમાં જેટલા અવિભાગ-પ્રતિચ્છેદ છે એટલા અવિભાગ-પ્રતિચ્છેદ બધા ગુણોમાં છે? ઉત્તર:- હા, જેટલા અવિભાગ-પ્રતિષ્ણદ એક જ્ઞાનગુણમાં છે તેટલા જ અવિભાગ પ્રતિચ્છેદ શ્રદ્ધા-ચારિત્ર-વીર્ય આદિ બધા ગુણોમાં છે. જેનો ભાગ કરતાં બીજો ભાગ થઈ શકે નહિ એવા અવિભાગ-પ્રતિચ્છેદ એક ગુણમાં અનંત છે, એ અનંત અવિભાગ પ્રતિચ્છેદ કેવળજ્ઞાન થતાં પૂરા પ્રગટ થવા છતાં જ્ઞાનગુણમાંથી તે ઘટતાં નથી, એવો જ સ્વભાવ છે. આ બહુ ઝીણી વાત છે. જ્ઞાન સિવાય બીજા ગુણો જાણતાં નથી એથી બીજા ગુણોના અવિભાગ-પ્રતિચ્છેદ ઓછા છે એમ નથી. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૭ (૪૨૧) પ્રશ્ન- પરિણામી નિશ્ચયથી પોતાના પરિણામનો કર્તા છે અને વળી પૂર્વ પર્યાયનો વ્યય કર્તા છે તે કઈ રીતે? ઉત્તર- ખરેખર તો ઉત્પાદન પર્યાયનો કર્તા ઉત્પાદ જ છે પણ અભેદ ગણીને ઉપચારથી પરિણામીને કર્તા કહેવાય. પરંતુ દ્રવ્ય તો પરિણમતું જ નથી, દ્રવ્ય તો નિષ્ક્રિય છે, પલ્ટ છે તે પર્યાય છે. વ્યયને ઉત્પાદનો કર્તા કહેવું તે પણ વ્યવહાર છે. પકારકના પરિણામ ધ્રુવ અને વ્યયની અપેક્ષા વિના સ્વયંસિદ્ધ ઉત્પાદ થાય છે. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨ (૪૨૨) પ્રશ્ન- શાસ્ત્રમાં પર્યાયને અભૂતાર્થ કેમ કહી છે? શું તેની સત્તા નથી? ઉત્તર:- ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરીને ભૂતાર્થ કહ્યો અને પર્યાયને અભૂતાર્થ કહી એટલે કે પર્યાય નથી એમ કહ્યું ત્યાં પર્યાયને ગૌણ કરીને નથી એમ કહ્યું છે, એથી પર્યાય સર્વથા નથી જ એમ નથી. તેમ સમ્યગ્દષ્ટિને રાગ નથી, દુઃખ નથી તેમ કહ્યું છે એથી પર્યાયમાં રાગ કે દુ:ખ સર્વથા નથી જ એમ નથી. પર્યાયમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy