________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬: જ્ઞાનગોષ્ઠી તેને કારણપરમાત્મા ક્યાં છે? તેને તો રાગ ને અલ્પજ્ઞતા જ છે. જેને કારણપરમાત્મા બેસે છે તેને કાર્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોય છે.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૮
(૧૬)
પ્રશ્ન- તો અજ્ઞાનીને શું કરવું?
ઉત્તર:- અજ્ઞાનીને પહેલાં વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવું. એ સમ્યગ્દર્શન પામવાનો સાચો ઉપાય છે. શુભરાગના ક્રિયાકાંડ કરવા તે સાચો ઉપાય નથી.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(૧૭) પ્રશ્ન- લોક છ દ્રવ્યસ્વરૂપ છે, તેમાં જીવ સામ્ દ્રવ્ય થઈ જાય છે?
ઉત્તર- લોક છે તો છ દ્રવ્યસ્વરૂપ જ, પણ તે જ્ઞય હોવાથી વ્યક્ત છે અને તેને જાણનાર જીવ તેનાથી ભિન્ન છે તેથી તે અપેક્ષા તેને સામ્ દ્રવ્ય કહ્યું છે.
-આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯
(૧૮) પ્રશ્ન:- આત્મદ્રવ્યનો મહિમા વિશેષ છે કે તે દ્રવ્યને લક્ષમાં લેનારી પર્યાયનો મહિમા વિશેષ છે?
ઉત્તર- આત્મદ્રવ્યનો મહિમા વિશેષ છે. પર્યાય દ્રવ્યનું લક્ષ કરે ત્યારે મોક્ષમાર્ગની શરૂઆત થાય છે તે અપેક્ષાએ પર્યાયનો મહિમા કહેવાય, પણ પર્યાય તો એક સમયની છે અને દ્રવ્ય તો પર્યાયથી અનંત અનંત ગુણા સામર્થ્યવાળું ત્રિકાળી મહાપ્રભુ છે, તેથી દ્રવ્યનો મહિમા જ વિશેષ છે.
-આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૪
(૧૯) પ્રશ્ન- નિયમસારમાં સંવર-નિર્જરા-મોક્ષતત્ત્વને પણ સારભૂત નથી કહ્યું, તેમાં શું રહસ્ય છે?
ઉત્તર:- આત્મા જ એક સર્વ તત્ત્વોમાં સારરૂપ છે. સંવર, નિર્જરા ને મોક્ષ ઉત્પન્ન કરવાની અપેક્ષાએ હિતરૂપ અને સારરૂપ કહેવાય છે તેને પણ અહીં નિયમસારમાં સારરૂપ કહેતા નથી. કેમ કે તે પર્યાય છે, નાશવાન છે, ક્ષણિક છે અને આત્મા તો અવિનાશી ધ્રુવ હોવાથી સારરૂપ છે. સંવરાદિ તત્ત્વો તો નાશ પામવા યોગ્ય ભાવ છે તેનાથી અવિનાશી ભગવાન આત્મા દૂર છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-વીર્ય આદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com