SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા: ૩ વિષય જે ત્રિકાળી–ધ્રુવસામાન્ય તે એક જ સર્વ તત્ત્વોમાં સાર છે. એ વસ્તુ પોતે ધ્રુવ છે પણ તેના ઉપર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૭ પ્રશ્ન:- પહેલાં જ્ઞાન જણાય કે આત્મા? બન્નેની પ્રસિદ્ધિ માં કેટલું અંતર છે? ઉત્તર:- બંને સાથે જ જણાય છે. આત્માને લક્ષમાં લીધા વગર જ્ઞાનને લક્ષણ કોનું કહેવું? આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તેમાં અભેદ થયું ત્યારે આત્મા લક્ષ્ય થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. એ રીતે લક્ષણ અને લક્ષ્યની પ્રસિદ્ધિ એક સાથે જ છે. -આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૧૩ (૮) પ્રશ્ન:- જો બંને એક સાથે જણાય છે તો પછી જ્ઞાન અને આત્માનો ભેદ તો નકામો જ ગયો? ઉત્તર:- અભેદ તરફ વળે છે ત્યાં ભેદને ઉપચારથી સાધન કહેવાય છે. અભેદના લક્ષ વગરના એકલા ભેદ તે તો ખરેખર વ્યર્થ જ છે. અભેદમાં જતાં જતાં વચ્ચે ભેદ આવી જાય છે, પણ તે ભેદરૂપ વ્યવહારનો નિષેધ કરીને અભેદમાં ઢળે છે તેથી તે ભેદને વ્યવહારે સાધન કહેવાય છે. પણ નિશ્ચય વગરનો એકલો વ્યવહાર તો વ્યર્થ જ છે. પહેલાં જ્ઞાનને જાણ્યું અને પછી આત્માને જાણ્યો-એવા ભેદ ખરેખર નથી. આ લક્ષણ અને આ લક્ષ્ય-એવા બે ભેદ ઉપર લક્ષ રહે ત્યાં સુધી વિકલ્પની પ્રસિદ્ધિ છે પણ આત્માની પ્રસિદ્ધિ નથી; આત્મા તરફ વળીને જ્યાં આત્માની પ્રસિદ્ધિ થઈ–આત્માનો અનુભવ થયો, તે વખતે તો લક્ષ્ય અને લક્ષણ એવા બે ભેદ ઉપર લક્ષ નથી હોતું. તેને તો લક્ષ્ય અને લક્ષણ બંને અભેદ થઈને એક સાથે પ્રસિદ્ધ થાય છે. બીજાને સમજાવવા માટે ભેદથી એમ કહેવાય કે આ જીવ જ્ઞાન-લક્ષણથી આત્માને સમજ્યો, એ વ્યવહાર છે,-પણ તે વ્યવહાર અભેદ આત્માનું પ્રતિપાદન કરવા માટે છે. -આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૧૩ (૯). પ્રશ્ન- આત્મસ્વભાવ સુખનો સાગર છે તો વર્તમાનમાં એ સુખનો એક અંશ પણ કેમ આવતો નથી ? ઉત્તર- આત્મા સુખનો સાગર હોવા છતાં તેણે રાગની આડ મારી છે, રાગમાં એકતાબુદ્ધિના તાળા માર્યા છે. તેથી સ્વભાવમાંથી સુખનો અંશ આવતો નથી. રાગની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy