________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૮૦ વ્યવહારનય દ્વારા તો અનુમાન થતું જ નથી. કારણકે વ્યવહાર અભૂતાર્થ છે. કેમકે બીજાના ભાવને બીજાનો કહે છે. એની તો દિશા જ ઊલટી છે. વ્યવહારનયની દિશા વિપરીત છે. અન્યથા કથન કરે છે. આત્મા કર્તા છે એમ કથન કરે છે. રાગને કરે અને પુણ્યને ભોગવે એમ વ્યવહારનય કથન કરે છે. આત્મા પરને જાણે છે. લોકાલોકને જાણે છે, એવું વ્યવહારનું કથન કર્યા જ કરે છે. એની તો દિશા જ ઊલટી છે.
તેથી તો નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરાવે છે. કે: “તું નિશ્ચયનયે અકર્તા જ છો.” પછી નિશ્ચયનયને છોડી દે. હું તો સ્વભાવથી જ અકર્તા છું. અનાદિ અનંત હોં! હું તો નિશ્ચયનયે અકર્તા છું, તો નિશ્ચયનય લગાડે ત્યારે અકર્તા આવ્યું તો એની પહેલાં કર્તા થઈ ગયો. શું કહ્યું બેન! નિશ્ચયનયે હું અકર્તા છું તો નિશ્ચયનય નહીં લગાડીશ ત્યારે તો તું કર્તા જ હતો. નિશ્ચયનય લગાડો કે ન લગાડો. એ તો સ્વભાવથી જ અનાદિ અનંત અકર્તા છે. આ યાતિક્રાંત થવાની ચર્ચા ચાલે છે.
આજ સુધી તો હું એમ માનતો 'તો કે આત્મા રાગાદિનો અશુદ્ધ નિશ્ચયનય કર્તા, ઉપચાર અને અનુપચારે કર્મ નોકર્મ નો કર્તા હવે ખબર પડી કે આત્મા નિશ્ચયનયે અકર્તા છે. એમ ખબર પડી ને ! ખબર પડી ત્યારે અકર્તા છે એમ તને ખબર પડી ! ત્યારે તો આ નિશ્ચયનય ન લગાડી. ત્યારે તો તું કર્તા હતો ને? “હા” હું ત્યારે કર્તા હતો. અરે ! નિશ્ચયનય લગાડ કે ન લગાડ એ તો સ્વભાવથી જ અકર્તા અકારક છે. હરણીયાને ક્યાં ખબર છે કે હું નિશ્ચયનયે અકર્તા છું? હું! અનુભવ થઈ જાય છે. પ્રાથમિક જીવોને એક સાધન બતાવ્યું. આત્માના અધિગમના ઉપાય: એટલે જાણવાના ઉપાય, પ્રમાણ, નય, નિક્ષેપ છે તે બરોબર છે. ત્યાં સુધી બરોબર છે. પણ પછી એ નયને છોડીને સ્વભાવનું લક્ષ કરે તો પ્રમાણ, નય, નિક્ષેપ બધા ચાલ્યા જાય છે. કોઈ વિકલ્પ રહેતા નથી.
નિશ્ચયનયથી જ્ઞાન આત્માને જાણે છે એટલે કે જ્ઞાન પરને જાણતું નથી. આ રીતે નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે. શું કહ્યું? નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે એ નિશ્ચયનયે કોનો નિષેધ કર્યો? કે જે વ્યવહારનયે જ્ઞાન આત્માને જાણે છે એમ નથી. વ્યવહારનયે નથી જાણતું એ સાચું છે. અને નિશ્ચયનયે અને જાણે છે એ વાત સાચી છે એમ. “ જાણતું નથી ' આ રીતે નિશ્ચયનય વ્યવહારનયનો નિષેધ કરે છે.
નિશ્ચયનયનો વિકલ્પ વ્યવહારનયના વિકલ્પનો નિષેધ કરે છે. નિશ્ચયનય એટલે આત્મા જાણનારને જાણે છે. ખરેખર પરને જાણતું નથી. શું કામ પરને જાણતું નથી? પરનું અવલંબન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com