SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૨૪ ઊભા નમોકારમંત્રની આટલી માળા કરો તો દર્શન થશે!' એમ તેમણે ઘણું ઘણું કર્યું; સમજી ગયા. એમ કરતાં કરતાં નાગપુર પાસે ગયા. ત્યાં તેમને કોઈએ કહ્યું કે નાગપુર પાસે કારંજા ગામ છે ત્યાં દેવેન્દ્રકીર્તિ નામના ભટ્ટારક છે–તેઓ સમયસારના પાઠી છે ત્યાં જાઓ. ભગવાનનાં દર્શન કેમ થાય એ તમને બતાવશે. એ તો કારંજા ગયા. કારંજા જઈને વિનયપૂર્વક નમસ્કાર કરીને પોતે બેઠા. કહે-બાપજી! મારે ભગવાનના દર્શન કરવાં છે. પોતે જે-જે કર્યું હતું તે બધું કહ્યું. આટલા વ્રત કર્યા, જાત્રા કરી, આમ કર્યું, આમ કર્યું, એમણે જે જે કર્યું હતું તે કથા એમણે સંભળાવી દીધી. આટલું કરવા છતાં પણ મને ભગવાનનાં દર્શન થયા નથી. આહાહા! આ ભાઈ ! બરોબર ભગવાનનાં દર્શન કેમ થાય એ ટાઈમે આવ્યા બરાબર. ભગવાન એટલે ભગવાનના દર્શન હોં! એણે કહ્યું! બાપજી! મારે ભગવાનના દર્શન કરવા છે. બીજું કાંઈ મારે જોઈતું નથી. બીજી કોઈ આશા તૃષ્ણા મને છે નહીં. કાંઈ ઇચ્છા નથી. એક ઇચ્છા હોય તો આટલી ઇચ્છા કે મારે ભગવાનના દર્શન કરવા છે. ત્યારે ભટ્ટારકે કહ્યું “કયા અંધા હૈ! દેખનેવાલે કો દેખતા નહીં હૈ? બસ આટલું કહીને મૌન રહી ગયા અને આ વિચારમાં ચઢી ગયા. એણે આંગળી ફેરવી કે હું આંધળો છું નહીં, હું તો દેખતો છું, મને તો બધું દેખાય છે. મર્મ સમજ્યો નહીં. મહનીય ગુના ઉપદેશથી ઈશારાથી કોઈ પામે છે તેની આ વાત છે. ત્યારે થોડી વાર તો વિચારમાં પડી ગયા. બે-ચાર મિનિટ વિચાર કર્યો કે આ વાક્ય કાંઈક માર્મિક લાગે છે. મને એનો મર્મ કાંઈ સમજાતો નથી. લાવ બીજી વાર પૂછું કે: બાપજી! આપે કહ્યું એનો મર્મ હું સમજી શક્યો નથી. કૃપા કરીને મને ફરીને વાત કરો. બીજી વખત એણે શું કહ્યું? “ક્યા અંધા હૈ? દેખનેવાલે કો દેખતા નહીં હૈ!” આહાહા! દેખનાર તો હું પોતે જ છું. હું ક્યાં રખડયો ? ભગવાન તો અહીંઆ જ બિરાજમાન છે. અને દેખ્યો નહીં. ઇન્દ્રિયજ્ઞાન વડે બહારના પદાર્થો ને દેખતાં-દેખતાં શાસ્ત્ર વાંચતા-વાંચતા, કાને સાંભળતા-સાંભળતાં ઘણો કાળ ગયો. “દેખનેવાલે કો દેખતા નહીં હૈ, અંધા હૈ?” બસ. ઈશારો કર્યો મહનીય ગુરુએ ઈશારો કર્યો અને પોતે સમજી ગયા. અરે ! હું જ દેખનાર છું અને દેખનારો બીજાને ક્યાં દેખવા ગયો ? “દેખનારને દેખ' એમ કહે છે. “જાણનારને જાણ” એમ ઈશારો ર્યો. સમજી ગયા. ત્યાં ને ત્યાં પાકી ગયો હતો જીવ. પર્યાયનો કાળ પાકી ગયો હતો. ત્યાં ને ત્યાં ઉપયોગ અંદરમાં ગયો. અને અનુભવ થઈ ગયો. જેમ લાકડી પડે એમ લાંબો પડી ગયો. વંદન કર્યું. આહાહા ! સમજી ગયા ગુરુ. કયા ભગવાન કા દર્શન હો ગયા ને! જી! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy