________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૨૨
એની પરીક્ષા કરવાની જરૂર નથી. શુભભાવ કરતાં કરતાં ધર્મ થાય. દેશના લબ્ધિ સાંભળીએ તો સમ્યક્ દર્શન થાય. દિવ્ય ધ્વનિ સાંભળવાથી ધર્મ થાય. શાસ્ત્ર વાંચીએ, અધ્યયન કરીએ તો જ્ઞાન થાય. એ તો તે બધી વ્યવહારનયની વાતો કરી, એને અવલંબનારો તો મિથ્યાદષ્ટિ છે જ. અમારે તો એની વાત અહીંયા કરવી જ નથી.
જે વ્યવહારનો પક્ષ છોડીને નિશ્ચયનયના પક્ષમાં આવ્યો છે તેને પણ અનુભવ થતો નથી હજી. નિશ્ચયનયનું અવલંબન કરે છે તેમાં પણ નિશ્ચયનયનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. એમાં જ્ઞાનની સિદ્ધિ થતી નથી. એ વિકલ્પમાં તો અજ્ઞાનની સિદ્ધિ થઈ. કારણ કે એ માનસિક જ્ઞાન છે.
પ્રશ્ન:- હું શુદ્ધ છું બુદ્ધ છું તો તેનું લક્ષ ત્યાં રહે છે. તો દષ્ટિ તેની ત્યાં રહે છે? જ્ઞાન તો એનું કામ કરે છે અંદર જવાનું!
જવાબઃ- જ્ઞાન હજુ અંદર જવાનું કામ કરતું નથી. તેના પક્ષમાં ઊભો છે. પ્રશ્ન:- મારે આમ કરવાનું છે, તે ખ્યાલ છે, તે લક્ષ ન થયું અંદર?
ઉત્ત૨:- એ પણ વિકલ્પ છે. વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ થતો નથી. અહીંયા વિકલ્પની વાત છે. નિશ્ચયનય દ્વારા અપૂર્વ નિર્ણય કરેલ છે તેની અત્યારે વાત નથી. ‘હું આવો છું' ‘હું આવો છું' એમ વિકલ્પ જ કર્યા કરે એ વિકલ્પમાં સાધ્યની સિદ્ધિ થતી નથી. વિકલ્પ છોડે તો અનુભવ થાય. એ નિર્ણયને આગળ કરે તો મિથ્યાદષ્ટિ છે. નિર્ણયના વિકલ્પને આગળ કરે એ પણ વ્યવહારનો પક્ષ છે. નિર્ણયવાળો નિર્ણયને આગળ કરતો નથી. મને નિર્ણય થઈ ગયો એવો અહમ્ નિર્ણયમાં આવતો નથી. એ ક્યાંય રોકાતો નથી. એને ક્યાંય સંતોષ થતો નથી. નિર્ણય આવે છે એ વાત સાચી છે. આહા ! પણ એને આગળ કરવા જેવો નથી. એને આગળ કરતાં, જ્ઞાયક પાછળ રહી જાય છે. મને હવે નિર્ણય થઈ ગયો છે, નિર્ણય થયો હોય એ નિર્ણયને આગળ ન કરે. પોતે ગુપ્ત રીતે જાણે, એને ખ્યાલ આવે કે અલ્પકાળમાં સમ્યગ્દર્શન પણ થશે થોડા દિવસોમાં કે થોડા મહિનાઓમાં સમ્યગ્દર્શન થશે એમ જાણી લે છે. યથાર્થ નિર્ણયવાળો હોં ! એકલો નિર્ણય ( એમ ) નહીં. યથાર્થ નિર્ણય અને પાક્કો નિર્ણય એમ પાછો આહાહા! એ નિર્ણયની જાત જુદી છે. એ તો અંશે રાગથી જુદું પડેલું જ્ઞાન છે.
અહીં તો કહે છે, કે ઉ૫૨ ઉપરનો નિર્ણય કર્યો છે. વિકલ્પ દ્વારા એ નિશ્ચયનયના વિકલ્પવાળો, એના અવલંબનવાળો પણ મિથ્યાદષ્ટિ કેમ છે? એમ પ્રશ્ન આવ્યો !
વ્યવહા૨નું અવલંબન કરે એ તો મિથ્યાદષ્ટિ છે જ પણ નિશ્ચયનયનો વિકલ્પ ઊઠે છે ‘હું શુદ્ધ છું' ‘અભેદ છું’ ‘એક છું’ એમાં કાંઈ અનુભવ થતો નથી. માટે એ વિકલ્પને આગળ કરે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com