________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[૫]
પ
ઉભો થયો. જ્ઞાનની પર્યાય ‘નિશ્ચયનયે' આત્માને જાણે છે એમાં પણ વિકલ્પ ઉભો થયો. નિશ્ચયનયે આત્મા અકર્તા નથી... નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી... અરે ! આ શું વાત કરો છો ? હા, સાંભળ.
નિશ્ચયનયે આત્મા અકારક, અવેઠક નથી,
સ્વભાવથી જ અકારક, અવેઠક છે.
નિશ્ચયનયે જ્ઞાન શાયક ને જાણતું નથી. સ્વભાવથી જ જ્ઞાન શાયકને જાણે છે.
આમ સ્વભાવની સન્મુખ થતાં નયોના વિકલ્પ અસ્ત થઈ જાય છે, શાંત થઈ જાય છે. અને અભેદપણે આત્માનો અનુભવ થાય છે આ તો સ્વભાવનું જેને ભાન નહોતું અને જે વ્યવહારનયના પક્ષમાં પડયો હતો એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે. તો એ ‘નિશ્ચયનય ’ને વળગી પડયો. માટે એને હવે કહે છે–જ્ઞાન નિશ્ચયનયે આત્માને જાણતું નથી. અરે ! આ શું કહો છો? શું નિશ્ચયનયે નથી જાણતું, તો શું વ્યવહારનયે જાણે છે? અરે ! તું સાંભળ હું ત્રીજી વાત કરું છું.
જ્ઞાન, સ્વભાવથી જ આત્માને જાણે છે. એને નય લાગુ પડતી નથી. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ. બન્નેના સ્વભાવને લક્ષમાં લે તો એક અનુભવ થાય. નયાતીત થવાની આ વિધિ છે.
જાણનારો જણાય છે. જણાય છે અર્થાત્ જણાયા જ કરે છે. આબાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા જ કરે છે. કઈ નયથી જણાયા કરે છે? અરે ! એ તો ‘સ્વભાવ ’થી જ જણાયા કરે છે, જા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com