________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૮]
ખરેખર જ્યાં સુધી શ્રદ્ધા વિપરીત છે ત્યાં સુધી બે નયોનું પરસ્પર સાપેક્ષ એવું સમ્યજ્ઞાન પણ પ્રગટ થતું નથી. નિરપેક્ષ તત્ત્વની દષ્ટિ વિના, અપેક્ષાઓનું જ્ઞાન, સમ્યક્ થતું નથી. માટે આત્માર્થીએ પ્રથમ શ્રદ્ધાની સંશુદ્ધિ હેતુએ સ્વભાવથી સ્વભાવને જોવો જોઈએ, કોઈ નયથી નહીં.
આ જ ભાવ શ્રીમાન અમૃતચંદ્રાચાર્યદેવે સમયસાર કળશ-૬૯૭) માં દર્શાવ્યો છે.
य ऐव मुक्त्वा नयपक्षपातं स्वरुपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्तास्त ऐव साक्षादमृतं पिबन्ति।। ६९ ।।
શ્લોકાર્ધઃ- જેઓ નયપક્ષપાતને છોડી (પોતાના) સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે તેઓ જ, જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા સાક્ષાત અમૃતને પીએ છે.
ભાવાર્થ- જ્યાં સુધી કાંઈપણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય, ત્યારે વીતરાગ દશા થઈને, સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે.
હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે, તે તત્ત્વવેદી (તત્ત્વોનો જાણનાર) સ્વરૂપને પામે છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com