________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યોનો ઉપસંહાર અને અસ્તિકાય ]
[૬૭ માફક કાલાણુઓ અલગ અલગ રહેલાં છે. જેવી રીતે રત્નોનો ઢગલો કરવાથી દરેક રત્ન અલગ અલગ રહે છે, તેવી રીતે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર એક એક કાલાણું અલગ અલગ છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત હોવાને કારણે કાલદ્રવ્ય પણ અસંખ્યાત દ્રવ્ય છે. આ કાલાણુઓના નિમિત્તથી બધાં દ્રવ્યોની અવસ્થા પલટાય છે. ૨૨.
દ્રવ્યોનો ઉપસંહાર અને અસ્તિકાય एवं छठभेयमिदं जीवाजीवप्पभेददो दव्वं । उत्तं कालविजुत्तं णायव्वा पंच अत्थिकाया दु।।२३।। एवं षड्मेद इदं जीवाजीवप्रभेदतः द्रव्यम्। उक्तं कालवियुक्तम् ज्ञातव्या: पंच अस्तिकायाः तु।।२३।।
અન્વયાર્થ- (વં) આ પ્રમાણે (નીવાળીવમેવત:) જીવ અને અજીવના પેટા ભેદોથી (ફર્વ) આ (દ્રવ્ય) દ્રવ્ય (અમે) છ પ્રકારે (૩$) કહેવામાં આવ્યું છે, (તુ) વળી તેમાં (સિવિયુp) કાળદ્રવ્ય સિવાય (પંચ સ્તવયા) પાંચ અસ્તિકાય (જ્ઞાતવ્યાસ) જાણવા.
ભાવાર્થ- દ્રવ્યના મુખ્ય બે ભેદ છે. જીવ અને અજીવ. અજીવના પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ ભેદ છે. કુલ દ્રવ્ય છે છે; આમાંથી કાળ સિવાય બાકીનાં પાંચ દ્રવ્યો “પંચાસ્તિકાય” કહેવાય છે. ર૩.
અસ્તિકાયનું લક્ષણ संति जदो तेणेदे अत्थीति भणंति जिणवरा जम्हा। काया इव बहुदेसा तम्हा काया य अत्थिकाया य।।२४।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com