________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
[દ્રવ્ય-સંગ્રહ
(૨) સંસારી. સિદ્ધ જીવો પરિપૂર્ણ સુખી છે. સંસારીમાં જે અજ્ઞાની છે તે પોતાની મિથ્યા માન્યતાના કારણે ચારે ગતિઓમાં પરિપૂર્ણ દુઃખી છે. તેઓ ૧૫૨૫દાર્થમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરે છે. તેઓ અનુકૂળ બાહ્ય પદાર્થોથી સુખ અને પ્રતિકૂળ પદાર્થોથી દુ:ખ માને છે અને તેથી ઈન્દ્રિયસુખ ખરેખર દુઃખ હોવા છતાં તેને પ્રાપ્ત કરવા મથે છે અને દુઃખી થાય છે. સાધક જીવો તેમની શુદ્ધતાના પ્રમાણમાં સુખી છે. કેવળી ભગવાન પરિપૂર્ણ સુખી છે.
૨. પ્રશ્ન:- જીવની સિદ્ધ દશા ન માનીએ તો?
ઉત્ત૨:- તો જીવની સંસારી દશા સિદ્ધ થતી નથી. તેમને ‘સંસારી ’વિશેષણ કોઈ બીજા જીવોથી જુદા ઓળખાવવા માટે લગાડવામાં આવે છે. જો અસંસારી (સિદ્ધ) જીવો ન હોય તો સંસારી અવસ્થા જીવોની જ ઠરશે નહીં. સંસારી દશાનો પ્રતિપક્ષ ભાવ સિદ્ધ દશા છે. જો જીવને સંસાર અવસ્થા જ ન હોય તો ધર્મ કરવાનો અને અધર્મ ટાળવાનો પુરુષાર્થ જ રહેશે નહીં.
૨. સંસારી જીવોના ભેદોઃ- સંસારી જીવોના બે ભેદ છે: (૧) સ્થાવર (૨) ત્રસ. સર્વે એકેન્દ્રિય જીવો સ્થાવર જીવો છે. જેના પાંચ
૧. ખરેખર કોઈ પ૨ પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ નથી, તે તો બધાં જ્ઞેયમાત્ર છે. પોતાની અજ્ઞાનદશા અનિષ્ટ અને જ્ઞાનદશા ઈષ્ટ છે પણ અજ્ઞાની તેથી વિપરીત માને છે.
૨. કેવળી ભગવાન અસિદ્ધભાવને લીધે સંસારી છે. તે ભાવનો અભાવ થતાં સિદ્ધ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com