________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦]
[દ્રવ્ય-સંગ્રહ મોટા શરીરપ્રમાણમાં રહે છે; (વા) અને (નિશ્ચયનયત:) નિશ્ચયનયથી (સંધ્યશ:) લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશવાળો છે.
અર્થ:- મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું શરીરથી બહાર નીકળવું તેને
સમુઘાત કહેવામાં આવે છે. તેના સાત ભેદ છે. ૧. વેદના- અધિક દુઃખની દશામાં મૂળ શરીરને છોડ્યા વગર જીવના પ્રદેશોનું બહાર
નીકળવું ૨. કષાય:- ક્રોધ વગેરે તીવ્ર કષાયના ઉદયથી ધારણ કરેલા શરીરને છોડ્યા વગર
જીવના પ્રદેશોનું શરીરથી બહાર નીકળવું ૩. વિક્રિયા:- વિવિધ ક્રિયા કરવા માટે મૂળ શરીરને છોડ્યા સિવાય આત્માના
પ્રદેશોનું બહાર ફેલાવું. ૪. મારણાન્તિક- જીવ મૃત્યુ સમયે તરત જ શરીરને છોડતો નથી પણ શરીરમાં
રહીને જ (અન્ય) જન્મસ્થાનને સ્પર્શવા માટે આત્મપ્રદેશો બહાર નીકળે છે. ૫. તૈજસ- આના બે પ્રકાર છેઃ શુભ અને અશુભ, જગતને રોગ અથવા દુર્ભિક્ષથી
દુ:ખી દેખીને મહામુનિને દયા ઉત્પન્ન થવાથી જગતનું દુઃખ દૂર કરવા માટે, તપના બળથી મૂળ શરીરને છોડ્યા સિવાય, જમણા ખભામાંથી પુરુષ આકારે સફેદ પૂતળું નીકળે છે અને દુઃખ દૂર કરીને પોતાના શરીરમાં પાછું પ્રવેશ કરે છે તેને શુભ તૈજસ કહે છે, અનિષ્ટકારક પદાર્થોને જોઈને મુનિઓના હૃદયમાં ક્રોધ થવાથી ડાબા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com