________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમૂર્તિક અધિકાર]
[ ૨૧ પણ તેને સાથે રહેવામાં વિરોધ નથી. ગાથા ૩માં પુદ્ગલ પ્રાણો સાથેનો વ્યવહારસંબંધ બતાવ્યો છે અને અહીં પુગલ કર્મ સાથેનો વ્યવહારસંબંધ (ક્ષણિક સંબંધો બતાવ્યો છે.
નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે અને વ્યવહાર નિશ્ચયનય વડે નિષેધ્ય છે.
(૨) સંસારદશામાં દરેક જીવને બંને નયોનો વિષય એકી સાથે હોય છે.
તાત્પર્ય:- ગાથા ૩ નું તાત્પર્ય અહીં પણ લાગુ પડે છે. પુદ્ગલ કર્મ મારાથી અત્યંત ભિન્ન છે, તેથી તે મને લાભ નુકસાન કરી શકે નહીં-એવો નિર્ણય કરી, અમૂર્તિક પોતાના ત્રિકાળી ધ્રુવસ્વભાવનો આશ્રય કરવાથી ધર્મ પ્રગટે છે, ટકે છે, વૃદ્ધિ પામે છે અને પૂર્ણ થાય છે. અને પૂર્ણ થતાં પુદ્ગલ કર્મ સાથેનો આત્યંતિક વિયોગ થઈ જીવ સિદ્ધપદને પામે છે. ૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com