________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
[દ્રવ્ય-સંગ્રહ ૩. અમૂર્તિક અધિકાર જીવ નિશ્ચયનયથી અમૂર્તિ હોવા છતાં
વ્યવહારનયથી મૂર્તિ કહેવાય છે. वण्ण रस पंच गंधा दो फासा अठ्ठ णिच्चाया जीवे। णो संति अमुत्ति तदो ववहारा मुत्ति बंधादो।।७।। वर्णाः रसा पंच गंधौ धौ स्पर्शा: अष्टौ निश्चयात् जीवे । नो संति अमूर्तिः ततः व्यवहारात् मूर्ति बंधतः।।७।।
અન્વયાર્થ- (નિશ્ચયાત) નિશ્ચયનયથી (નીવે) જીવદ્રવ્યમાં (વર્ષા: રસા: પંચ) પાંચ વર્ણ, પાંચ રસ, (ાંધી દ્વ) બે ગંધ અને (સ્પર્શી: મણી) આઠ સ્પર્શ ( અંતિ) હોતાં નથી (તત:) તેથી જીવ (અમૂર્તિ:) અમૂર્તિક છે. (વ્યવહારત) વ્યવહારનયથી જીવને (વન્યત:) (કર્મ) બંધન હોવાથી (મૂર્તિ) મૂર્તિક છે. ભાવાર્થ
૧. વર્ણાદિરહિત - દરેક જીવ અનાદિ અનંત વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શરહિત હોવાથી દરેક સમયે ખરેખર અમૂર્તિક (-અરૂપી) છે. પણ સંસારદશામાં અનાદિથી મૂર્તિક પુદ્ગલ કર્મો સાથે બંધ હોવાથી તે સંયોગનું જ્ઞાન કરાવવા માટે મૂર્તિક કહેવામાં આવે છે. પણ તેથી ખરેખર મૂર્તિક થઈ જતો નથી. જીવને ખરેખર મૂર્તિક માનવામાં આવે તો જીવ-અજીવનો ભેદ રહેતો નથી.
૨. નિશ્ચયનય-વ્યવહારનય - (૧) નિશ્ચયનય અહીં જીવનું ત્રિકાળી અમૂર્તિકપણું બતાવે છે અને વ્યવહારનય પુદ્ગલ કર્મ સાથેનો અનાદિ સંબંધ બતાવે છે. આ બન્ને નયોનો વિષય પરસ્પર વિરોધી છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com